Congressએ વલસાડ Loksabha Seat માટે Anant Patelને બનાવ્યા ઉમેદવાર, સાંભળો MLA Anant Patel કઈ રીતે Valsad Loksabha જીતશે?


  • Published By :
  • Published Date : 2024-03-13 16:31:04

કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર માટે બીજી યાદી જાહેર કરવામાં આવી. પહેલી યાદીમાં ગુજરાતની એક બેઠક માટે પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ ગઈકાલે જાહેર કરવામાં આવેલી યાદીમાં ગુજરાતની અનેક બેઠકોના નામની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 24માંથી 7 બેઠકોનું ચિત્ર ક્લિયર છે. પરંતુ અનેક બેઠક એવી છે જેની ચર્ચા થઈ રહી છે. વલસાડ બેઠક અત્યારે ચર્ચામાં છે કારણ કે ત્યાંથી કોંગ્રેસે આંદોલનકારી નેતા અને હાલના વાંસદાના ધારાસભ્ય અંનત પટેલને મેદાને ઉતાર્યા છે.

ધારાસભ્યોને લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે!

વલસાડ બેઠકનું સમીકરણ સમજીએ તો ત્યાં આદિવાસી , ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજનું પ્રભુત્વ વધારે છે જેના કારણે  કોંગ્રેસ હાઇ કમાન્ડે અનંત પટેલને પસંદ કર્યા છે સાથે જ એક વાત ખૂબ ચર્ચામાં છે. આ બેઠક માટે કે વલસાડ જે જીત્યું એ ગુજરાત જીત્યું પરંતુ આ વખતે આ વાત સાચી પડશે કે કેમ એ જોવાનું છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે બે ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. અનંત પટેલ અને સિદ્ધાર્થ ચૌધરી બંને કોંગ્રેસના સીટિંગ ધારાસભ્યો તરીકે ગૃહમાં બેસે છે.અને કોંગ્રેસનો આંતરિક વિખવાદ જે હમેશા ચાલતો રહતો હોય છે એને થાળે પાડવા કોંગ્રેસે ચાલુ ધારાસભ્યોને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.


શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું? 

અંનત પટેલની વાત કરીએ તો તે કોંગ્રેસના વાંસદાના પ્રમુખથી લઈને સરપંચ રહ્યા છે એટલે એની આસપાસના વિસ્તારથી એ વાકીફ છે પણ વલસાડ લોકસભા ખૂબ મોટો વિસ્તાર છે શહેરી વિસ્તારમાં અનંત પટેલનું પ્રભુત્વ કેટલું એ સવાલ છે અમે જ્યારે ન્યાય યાત્રામાં ગયા હતા ત્યારે અમે અનંત પટેલ સાથે વાત કરી હતી કે તમે લોકસભા લડવા તૈયાર છો કે નહીં અને લડશો તો જીતશો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.