Congressને આત્મમંથન કરવાની જરૂર! કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા, Loksabha Election પહેલા કોઈ બચશે?


  • Published By :
  • Published Date : 2024-03-07 10:41:03

કોંગ્રેસની હાલની પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે.. એક બાદ એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરમ દિવસે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ધારણ કર્યો છે. તે ઉપરાંત ગઈકાલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ગઈકાલે અરવિંદ લાડાણી ઉપરાંત કનુભાઈ કલસરિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને તેમણે કહ્યું કે મારે પણ અંતરાત્માનો અવાજ સાંભળવો પડ્યો. તેમનું કહેવું હતું કે તે ત્રણ મહિનાથી કોંગ્રેસમાં નિષ્ક્રીય છે. 

કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ આપી રહ્યા છે રાજીનામું

કોંગ્રેસમાંથી જે નેતા જાય છે તે તો પક્ષ માટે ખરાબ વિચારી શકે છે, બોલી પણ શકે છે પરંતુ જ્યારે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ નેતા જાય છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એ પૂછવાનું જરૂરી નથી સમજતા કે કેમ આટલા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને છોડી રહ્યા છે? જે નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસને ઉભી કરવામાં, કોંગ્રેસને એક લેવલ સુધી પહોંચાડવામાં મદદ કરી છે પરંતુ તે જ નેતા જ્યારે પક્ષને છોડે તો કારણ પૂછવા માટે પણ તે નથી જતા. જ્યારે કોઈ નેતા કોંગ્રેસને છોડે તો તેમના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે તે તો ભાજપના એજન્ટ છે, આરએસએસના એજન્ટ છે પરંતુ કોંગ્રેસને પણ એ વિચારવું પડશે કે શું વિપક્ષના નેતાઓ પણ પોતાની ફરજને નિષ્ઠતાથી નિભાવી રહ્યા છે?

લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે એ એક પ્રશ્ન? 

ગુજરાતમાં મજબૂત વિપક્ષ રહ્યો જ નથી જે સત્તાને પ્રશ્ન કરી શકે. એક સમયે જે નેતા ભાજપની નીતિઓ વિરૂદ્ધ બોલતા હતા તે જ  આજે ભાજપના , ભાજપની નીતિના ગુણગાન ગાય છે. કોંગ્રેસે એ વિચારવું પડશે કે શું કામ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે. કોઈ ત્રુટી તો રહી હશે સંગઠનમાં જેને કારણે નેતાઓ ચૂંટણીના સમયમાં પક્ષને અલવિદા કહી રહ્યા છે. જે પ્રમાણે એક બાદ એક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે તે જોતા એક પ્રશ્ન છે કે લોકસભા ચૂંટણી સુધી કોઈ બચશે? 



કોંગ્રેસના 17 ધારાસભ્યોમાંથી ચાર ધારાસભ્યો તો ગયા!

કોંગ્રેસના 17 ઘારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો તો ગયા પરંતુ હજી પણ ધારાસભ્યો જઈ શકે છે તેવી સંભાવનાઓ છે. જ્યારે કોઈ ધારાસભ્યના નામ અંગેની ચર્ચા થતી હોય અને તેના જવાબ માટે જ્યારે તેમને ફોન કરવામાં આવે તો તે ના પાડતા હોય છે પરંતુ બીજા જ દિવસે એવા સમાચાર આવે કે તે ધારાસભ્ય તો, તે નેતા તો ભાજપમાં જોડાવાના છે. શું નેતાઓના ના ને હા માનવી?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.