Electionને લઈ Congressના રાષ્ટ્રીય અધ્યક્ષ Mallikarjun Khargeએ આપ્યું નિવેદન, કહ્યું નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો દેશમાં હવે....


  • Published By :
  • Published Date : 2024-01-30 10:16:55

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી ચૂંટણીને લઈ તૈયારીઓમાં લાગી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. સરકાર પર પ્રહાર કરવાનો મોકો નથી છોડવામાં આવતો. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર તેમજ ભાજપની સરકાર પર આકરા પ્રહાર અનેક વખત કર્યા છે. આ બધા વચ્ચે મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ રેલીને સંબોધતા આશંકા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકતંત્ર બચાવવાની અંતિમ તક છે.

 



મણિપુર મુદ્દે રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યા છે સવાલ!

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાય છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે આવનાર સમયમાં. એક તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે તો બીજી તરફ આગામી સમયમાં ભાજપ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરશે. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુર કેમ નથી ગયા તેવા પ્રશ્ન અનેક વખત રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી અને ચૂંટણીને લઈ મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત!

અલગ અલગ મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ત્યારે એક રેલીને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગે એક નિવેદન આપ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી જીતે છે તો આ દેશની અંતિમ ચૂંટણી હશે. નરેન્દ્ર મોદી લોકોને ડરાવી ધમકાવીને પોતાની તરફ કરી રહ્યા છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ બેરોજગારીને લઈને પણ રેલીમાં વાત કરી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે