ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો કાળા કપડાં પહેરી વિરોધ, અદાણી-મોદી વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-27 12:40:38

રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થતાં આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ થઈ ગયું હતું. આખા દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાળા કપડાં પહેરી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા હતા. ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી અને પ્લેકાર્ડ લઈ વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત સિવાય અનેક જગ્યાઓ પર કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 


કોંગ્રેસના ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ

હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અનેક મુદ્દાઓેને લઈ સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ તે મુદ્દો આજે સંસદમાં ઉઠ્યો હતો. કોંગ્રેસના સાંસદો કાળા કપડાં પહેરી સંસદ પહોંચ્યા છે અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા કપડાં પહેરી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. ઉપરાંત મોદી-અદાણીને લઈ નારા પણ લગાવવામાં આવ્યા હતા. વધતા વિરોધને લઈ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.