કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન, કહ્યું હું કોંગ્રેસનો થઈ રહેવા નથી માગતો


  • Published By :
  • Published Date : 2023-01-15 11:01:16

ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની મોજ સાથે ઉત્સવ ઉજવાયો હતો. પર્વની ઉજવણી દરમિયાન રાજનીતિને લઈ પણ નેતાઓએ ટિપ્પણી કરી હતી. ત્યારે સોમનાથ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ નિવેદન આપ્યું હતું કે તે કોંગ્રેસ પાર્ટીના બનીને રહેવા નથી ઈચ્છતા.


કોળી સમાજના સ્નેહમિલનમાં વિમલ ચુડાસમા થયા સામેલ  

સોમનાથમાં વીર માંધતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ પણ હાજરી આપી હતી. ત્યાં આપેલા નિવેદનને કારણે તેઓ ચર્ચામાં છે. વિમલ ચૂડાસમાએ કહ્યું હતું કે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોઈએ ત્યારે રાજનીતિના માણસ તરીકે નહીં પરંતુ સમાજના દીકરા તરીકે રહેવાનું હોય. 



હું કોંગ્રેસ પાર્ટીનો થઈને રહેવા નથી માગતો - કોંગ્રેસ ધારાસભ્ય  

વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-ભાજપ હોય કે કોઈ પણ અન્ય પાર્ટી હોય, જો પાર્ટીના બનીને રહીએ તો સમાજને નુકસાન થાય છે. હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માગતો પરંતુ કોળી સમાજનો રહેવા માગું છું. સોમનાથ દાદા મને શક્તિ આપે કે આપ સમાજના લોકો માટે લડુ અને હંમેશા લડતો રહીશ. 


સી.આર.પાટીલે પણ આપ્યું હતું નિવેદન 

ગુજરાતમાં મહિના પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. કોંગ્રેસને ઓછી સીટો પર વિજય મળ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સી.આર.પાટીલે લોકસભા ચૂંટણીને લઈ નિવેદન આપ્યું હતું. ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપનો વિજય થશે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.