કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને કેમ કહ્યું, "તમારી કેસરી સાયકલથી દિકરીઓની લાગણી દુભાય છે"


  • Published By :
  • Published Date : 2023-03-15 18:57:59

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોંગ્રેસના વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતની એસસી, એસટી અને ઓબીસી દિકરીઓને અપાતી સાયકલનો મામલો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે દિકરીઓને મળતી સાયકલનો કલર બદલવામાં આવે. આ સિવાય તેણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે તેના પર પણ સવાલો પૂછ્યા હતા. 

Shailesh Parmar (@ShailesMParmar) / Twitter

"કેસરી રંગની સાયકલથી દિકરીઓને વાંધો કેમ?"

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે સાયકલનો કલર બદલી દેવામાં આવે કારણ કે તેનાથી દિકરીઓની ઓળખ થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓની લાગણી દુભાય છે. જાહેર છે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની છોકરીઓને કેસરી રંગની સાયકલ આપે છે. શૈલેષ પરમારનો કહેવાનો અર્થ હતો કે સાયકલના કલરથી દિકરીઓની જાતિ ખબર પડી જાય છે જેના કારણે તેને હિનભાવથી જોવામાં આવે છે. દિકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય તેના માટે સાયકલનો કલર બદલી દેવામાં આવે તેવો તેણે સરકારને ઈશારો કર્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે મંત્રીઓની ગાડીનો કલર પણ બદલી દેવો જોઈએ. જેના પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટીપ્પણી ના કરવા અપીલ કરી હતી. 

આ સિવાય શૈલેષ પરમારે શિક્ષણ મામલે પણ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પ્રશ્નો કર્યા હતા કે ઘટ ધરાવતી સ્કૂલમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માહિતી માગી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.