કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારને કેમ કહ્યું, "તમારી કેસરી સાયકલથી દિકરીઓની લાગણી દુભાય છે"


  • Published By :
  • Published Date : 2023-03-15 18:57:59

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે રોજ કોંગ્રેસના વિરોધના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાતની એસસી, એસટી અને ઓબીસી દિકરીઓને અપાતી સાયકલનો મામલો ઉઠાવ્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે દિકરીઓને મળતી સાયકલનો કલર બદલવામાં આવે. આ સિવાય તેણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે તેના પર પણ સવાલો પૂછ્યા હતા. 

Shailesh Parmar (@ShailesMParmar) / Twitter

"કેસરી રંગની સાયકલથી દિકરીઓને વાંધો કેમ?"

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં રજૂઆત કરી હતી કે સાયકલનો કલર બદલી દેવામાં આવે કારણ કે તેનાથી દિકરીઓની ઓળખ થઈ જાય છે. જેના કારણે વિદ્યાર્થિનીઓની લાગણી દુભાય છે. જાહેર છે ગુજરાત સરકાર તરફથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની છોકરીઓને કેસરી રંગની સાયકલ આપે છે. શૈલેષ પરમારનો કહેવાનો અર્થ હતો કે સાયકલના કલરથી દિકરીઓની જાતિ ખબર પડી જાય છે જેના કારણે તેને હિનભાવથી જોવામાં આવે છે. દિકરીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના થાય તેના માટે સાયકલનો કલર બદલી દેવામાં આવે તેવો તેણે સરકારને ઈશારો કર્યો હતો. શૈલેષ પરમારે માગ કરી હતી કે મંત્રીઓની ગાડીનો કલર પણ બદલી દેવો જોઈએ. જેના પર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટીપ્પણી ના કરવા અપીલ કરી હતી. 

આ સિવાય શૈલેષ પરમારે શિક્ષણ મામલે પણ વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકારને પ્રશ્નો કર્યા હતા કે ઘટ ધરાવતી સ્કૂલમાં શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવી માહિતી માગી હતી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!