Gujarat Vidhansabhaમાં TET-TAT પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો Congressના ધારાસભ્યએ ઉઠાવ્યો.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-29 11:01:09

ગુજરાતમાં શિક્ષકોની કમી છે તે આપણે જાણીએ છીએ. અનેક શાળાઓ એવી છે કે જે એક શિક્ષકના આધારે ચાલે છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઘણા સમયથી કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકારે ભરતી અંગેનો આંકડો રજૂ કર્યો હતો.


આટલા લાખ ઉમેદવારો છે શિક્ષક બનવા યોગ્ય!

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિધાનસભામાં કબૂલ્યું હતું કે ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 2,35,956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય છે, પરીક્ષાઓ પાસ કરી છે. શિક્ષકોની જગ્યા ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 



ક્યારે કરવામાં આવી હતી ભરતી? 

તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં કેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે તે પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. મહત્વનું છે કે શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ ભરતી કરવામાં નથી આવી.  


સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે ઉમેદવારોએ કર્યા અનેક પ્રયત્ન  

વિદ્યાર્થીઓ ભણે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવતી હોય છે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવી યોજનાઓ લાવવામાં આવી છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો નથી. ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે, પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમનો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો. 


કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં ઉઠાવ્યો પ્રશ્ન

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક વખત શિક્ષકોની ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે. શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે તેવા પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને આજે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં પણ તેઓ આંદોલન કરવા પહોંચ્યા હતા પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. 




અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.