કોંગ્રેસે ટિકિટ કાપતા ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું આપ્યું


  • Published By :
  • Published Date : 2022-11-16 23:19:16

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પંજો મૂક્યો છે ત્યારે તેમાં વધુ એક નામનો સરવાળો થઈ ગયો છે. આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભાથી ધારાસભ્ય નિરંજન પટેલે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. 


પેટલાદના નિરંજન પટેલનું રાજીનામું 

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલને ટિકિટ ના મળતા તેમણે ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને નિરંજન પટેલે રાજીનામું આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, "પેટલાદના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ સહિતના તમામ પદ પરથી રાજીનામું આપું છું."  


ટિકિટ ના મળતા ધરી દીધું રાજીનામું 

ક્ષત્રિયોની બેઠક ગણાતી પેટલાદ બેઠક પર 1990થી કોંગ્રેસનું રાજ ચાલે છે. આ વખતે કોંગ્રેસે નવો અખતરો કર્યો હતો અને ધારાસભ્ય નિરંજન પટેલનું પત્તુ કાપ્યું હતું. પોતાને રિપિટ ના કરતા નિરંજન પટેલ કોંગ્રેસથી નારાજ થઈ ગયા હતા. નિરંજન પટેલ પેટલાદ બેઠક પર છ ટર્મથી ધારાસભ્ય રહેલા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુવા કાર્યકર ડૉ. પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નિરંજન પટેલને ખટક્યું હતું અને ગઈકાલથી તેઓ નારાજ ચાલી રહ્યા હતા. 


હવે નિરંજન પટેલ ભાજપ સાથે કયો દાવ રમશે તે જોવાનું રહેશે પણ હાલ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અત્યાર સુધીમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.