ધારાસભ્ય ગેની બેન ઠાકોરનો પોલીસને પડકાર, એક પણ મહિલાને જો આંગળી પણ અડાડી છે તો ...


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 13:01:27

સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળ ચાલી રહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો પણ મોટી સંખ્યામાં હડતાળના સમર્થનમાં જોડાઈ છે  આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને વિપક્ષના નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. હડતાળને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ટેકો આપ્યો છે.


ગેનીબેન ઠાકોરની પોલીસને ચિમકી


આજે થરાદ અને વાવ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની બહેનો મોટી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી હતી. આંગણવાડી બહેનોએ નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. આંગણવાડી  આંગણવાડી બહેનોના ધરણા દરમિયાન વાવના ધારાસભ્ય ગેની બેન ઠાકોરે ઉગ્ર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'આ એક મહિનો આરપારની લડાઈ, હું પોલીસવાળાને ચેલેન્જ કરું છું કે વાવ-થરાદની એક પણ મહિલાને જો આંગળી  પણ અડાડી છે તો આંગળી કાપી નાખીશું, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો.' જો પોલીસ કોઈ પણ મહિલાને પકડે તો હું તેમને પડકારી રહી છું. વાવ-થરાદની એક કોઈને મુશ્કેલીમાં મુકવા માટે નહીં.



આંગણવાડી બહેનોની માંગણી શું છે?


આંગણવાડી કાર્યકર બહેનો પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગઈ છે. તેવામાં ગુરૂવારે તેમનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેઓ પોતાના માગને સ્વીકૃતી મળે એની માટે આંદોલન કરી રહ્યા છે. આંગણવાડી બહેનોને  ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા,  રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ  કરવા સહિત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. 




દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.