Porbandarમાં પૂર પીડિતોની આપવીતી સાંભળવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, ઉઠાવ્યા અનેક સવાલો!


  • Published By :
  • Published Date : 2024-07-29 12:46:57

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.. અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ જલ્દી શાંત થાય તેની પ્રાર્થના લોકો કરી રહ્યા હતા. સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.. પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે એક ડેલિગેશન પોરબંદર પણ ગયું હતું.  

કોંગ્રેસ ડેલિગેશને કહ્યું કે... 

પોરબંદરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ડેલિગેશને જણાવ્યું હતું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગરીબોને પ્લોટની ફાળવણી કરી જેને કારણે જરૂરીયાતમંદ લોકોને પેશકદમી કરવી પડી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ લોકોએ લીધી પોરબંદરની મુલાકાત

પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોગ્રસનું ડેલીગેશન પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય હીરા જોટવા, જસવંતી બાબી, મહિલા કોંગ્રેસ અગ્રણી જશીબેન બારડ, સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ કરશન બારડ, પોરબંદર પ્રભારી જ્યકર ચોટાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.અને પોરબંદર શહેરના છાયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી હતી. 


વરસાદી પાણીએ સર્જી તારાજી 

મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા તો ઉતરી ગયા પરંતુ તે પછી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે