Porbandarમાં પૂર પીડિતોની આપવીતી સાંભળવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, ઉઠાવ્યા અનેક સવાલો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-29 12:46:57

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.. અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ જલ્દી શાંત થાય તેની પ્રાર્થના લોકો કરી રહ્યા હતા. સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.. પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે એક ડેલિગેશન પોરબંદર પણ ગયું હતું.  

કોંગ્રેસ ડેલિગેશને કહ્યું કે... 

પોરબંદરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ડેલિગેશને જણાવ્યું હતું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગરીબોને પ્લોટની ફાળવણી કરી જેને કારણે જરૂરીયાતમંદ લોકોને પેશકદમી કરવી પડી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ લોકોએ લીધી પોરબંદરની મુલાકાત

પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોગ્રસનું ડેલીગેશન પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય હીરા જોટવા, જસવંતી બાબી, મહિલા કોંગ્રેસ અગ્રણી જશીબેન બારડ, સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ કરશન બારડ, પોરબંદર પ્રભારી જ્યકર ચોટાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.અને પોરબંદર શહેરના છાયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી હતી. 


વરસાદી પાણીએ સર્જી તારાજી 

મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા તો ઉતરી ગયા પરંતુ તે પછી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.