Porbandarમાં પૂર પીડિતોની આપવીતી સાંભળવા પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ, ઉઠાવ્યા અનેક સવાલો!


  • Published By :
  • Published Date : 2024-07-29 12:46:57

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.. અનેક વિસ્તારો એવા હતા જ્યાં વરસાદ જલ્દી શાંત થાય તેની પ્રાર્થના લોકો કરી રહ્યા હતા. સુરત, વડોદરા, સૌરાષ્ટ્ર, પોરબંદર સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું.. પાણી ભરાઈ જવાને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે કોંગ્રેસનું એક ડેલિગેશન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે એક ડેલિગેશન પોરબંદર પણ ગયું હતું.  

કોંગ્રેસ ડેલિગેશને કહ્યું કે... 

પોરબંદરની મુલાકાતે ગયેલા કોંગ્રેસના ડેલિગેશને જણાવ્યું હતું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગરીબોને પ્લોટની ફાળવણી કરી જેને કારણે જરૂરીયાતમંદ લોકોને પેશકદમી કરવી પડી છે. પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે. તેમજ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ લોકોએ લીધી પોરબંદરની મુલાકાત

પાણીથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોગ્રસનું ડેલીગેશન પોરબંદરની મુલાકાતે આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય હીરા જોટવા, જસવંતી બાબી, મહિલા કોંગ્રેસ અગ્રણી જશીબેન બારડ, સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ કરશન બારડ, પોરબંદર પ્રભારી જ્યકર ચોટાઈ સહિતના આગેવાનો જોડાયા હતા.અને પોરબંદર શહેરના છાયા વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી હતી. 


વરસાદી પાણીએ સર્જી તારાજી 

મહત્વનું છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા તો ઉતરી ગયા પરંતુ તે પછી કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .