અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરી રહેલા કોંગ્રેસ નેતાઓને ડિટેઇન કરાયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 15:31:00

આદિવાસી નેતા અનંત પટેલ ઉપર હુમલા થયા બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે. તેમના પર હુમલા થયા બાદ કોંગ્રેસ અલગ અલગ કાર્યક્રમો કરી પોતાનો વિરોધ દર્શાવી રહી છે. ભાજપના ઈશારે અનંત પટેલ પર હુમલો થયો હતો તેવી વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચોક વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા નીચે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.   

ગાંધી પ્રતિમા ખાતે ધરણા કરાયા.

શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ નોંધાવી રહી હતી વિરોધ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. પ્રચાર કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોલ લગાવી રહી છે. ભાજપ અને આપ તમામ પ્રકારે પ્રચાર કરવામાં લાગી ગયો છે. આ બધા વચ્ચે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો. જેને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાનો વિરોધ દર્શાવવા કોંગ્રેસ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 


પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત

સત્તા પક્ષને સદબુદ્ધિ આવે તે હેતુથી સુરત ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્તાનો દુરુપયોગ ન કરીને કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ ધરણા કરી રહેલા તમામ કોંગ્રી કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. જેને કારણે 9 દિવસ દરમિયાન રેલી તેમજ સરઘસનું આયોજન નહીં થઈ શકે.    

Anant Patel Archives - Lokpatrika



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.