આજે ગુજરાત બંધ: મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ આક્રમક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 15:59:19

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ લોકોની સમસ્યાઓને લઈ આક્રમક બની છે. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, કોંગ્રેસના આજે સવારના 8થી 12 વાગ્યા સુધીનાં રાજ્યવ્યાપી બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ક્યાંક બંધની અસર જોવા મળી તો ક્યાંક-ક્યાંક બંધની નહિવત અસર પણ જોવા મળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઇકાલે લોકોને સ્વૈચ્છિક બંધમાં જોડાવા લોકોને અપીલ કરી હતી. આ તરફ આજે મોંઘવારી, બેરોજગારી સામે વિરોધ કરતા નેતાઓને નજરકેદ કરાયા છે. વિગતો મુજબ શાહીબાગ પોલીસ હેડ કવાર્ટરમાં તમામ નેતાઓને  નજર કેદ હેઠળ રખાયા છે. 


બંધની અસર  કેવી રહી


રાજ્યભરમાં કોંગેસના પ્રતિક બંધને ક્યા મજબુત તો ક્યાક નબળો પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમદાવાદમાં સવારથી જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ અને GLS કોલેજ બંધ કરાવી હતી. NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને વિદ્યાર્થીઓને બંધને સમર્થન આપવા જણાવ્યું હતું અને તેમને ઘરે મોકલી દીધા હતા. આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી. બીજી તરફ કોંગ્રેસના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના સાંકેતિક બંધને પાટણ અને રાધનપુરમાં બંધની અસર જોવા મળી હતી. પાટણ અને રાધનપુરમાં મોટા ભાગના બજાર બંધ જોવા મળ્યા. તે ઉપરાંત આંકલાવ ખાતે પણ બંધના એલાનને સમર્થન મળ્યું હતું. આંકલાવનું બજાર અને દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી. રાજકોટમાં કોંગી નેતા હેમાંગ વસાવડાની અટકાયત કરાઇ હતી. 


કોંગ્રેસના કયા નેતાઓની કરાઈ અટકાયત?


બંધનું એલાન આપ્યા બાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સવારથી જ વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યા હતા. રાજ્ય પોલીસ વિભાગે પણ તાત્કાલિક પગલા લઈ કોંગ્રેસના ટોચના નેતાઓની અટકાયત કરી હતી. પોલીસે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જિજ્ઞેશ મેવાણી, હિંમતસિંહ પટેલ,ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને પણ નજરકેદ કર્યા છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.