મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 150 બેઠકો જીતશે: રાહુલ ગાંધી


  • Published By :
  • Published Date : 2023-05-29 16:00:49

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ ચરમસીમા પર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીઓ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ચમત્કાર સર્જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાર્ટી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 150 જેટલી સીટો જીતશે. કોંગ્રેસ પાર્ટીની મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ આ દાવો કર્યો હતો.


કોંગ્રેસના અગ્રણી નેતાએ કર્યું મંથન


મધ્ય પ્રદેશ ચૂંટણીને લઈ દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની મિટિંગમાં રાહુલ ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે, પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથ સહિતના 10 નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં પાર્ટીએ કર્ણાટકની તર્જ પર ચૂંટણી રણનિતી તૈયાર કરવા મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. રાહુલ ગાંધીએ પાર્ટીના અનુભવી નેતાઓના વિચારો પણ સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મધ્ય પ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.


જુથબાજીના કારણે પાર્ટીએ સત્તા ગુમાવી


મધ્ય પ્રદેશમાં વર્ષ 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે બાદમાં રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે સત્તાની ખેંચતાળ શરૂ થઈ ગઈ હતી. અંતે સિંધિયાએ બળવો કર્યો હતો જેના  કારણે કમલનાથે સત્તા ગુમાવવી પડી હતી. સિંધિયા તેમના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપામાં જોડાઈ ગયા હતા. અંતે રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.