કોંગ્રેસ અગ્રણી મગન પટેલ 300 સમર્થકો સાથે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે


  • Published By :
  • Published Date : 2022-11-15 18:34:55


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી સૌથી વધુ કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કર્યો છે. હવે અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું છે. કોંગ્રેસે વિજયસિંહ પટેલને ટિકિટ આપતા તેમણે પાર્ટી સામે નારાજગી દર્શાવી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. મગન પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસને દક્ષિણ ગુજરાતમાં આ સૌથી મોટો ઝટકો કહીં શકાય.


મગન પટેલ 300 સમર્થકો સાથે ભાજપમાં જોડાશે


મગન પટેલ અંકલેશ્વર બેઠક પર ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસથી નારાજ હતા. મગન પટેલની સાથે તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનોએ રાજીનામું ધરી દીધા હતા. હવે તેઓ તેમના 300થી વધુ સમર્થકો સાથે કેસરીયા કરશે. મગન પટેલ તેમના સમર્થકો સાથે ગાંઘીનગર પહોંચશે અને સી આર પાટીલની ઉપસ્થિતીમાં ભાજપમાં જોડાશે.


મગન પટેલે શા માટે કોંગ્રેસ છોડી? 


કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મગન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે ભાજપમાં જોડાવવા પાછળ ટિકિટની લાલચ નથી, તથા મને ટિકિટ માટે પણ કોઇ પ્રકારની બાંહેધરી નથી અપાઇ'




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.