અદાણી મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સાધ્યું ભાજપ પર નિશાન, ટ્વિટ કરી કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-02-04 11:27:56

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીને લઈ વિપક્ષી દળો દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી જયરામે કહ્યું કે જ્યારે સરકારી અધિકારી કહી રહ્યા હતા કે અદાણી ગ્રુપથી જોડાયેલા મામલા સરકાર માટે ચાના કપમાં આવેલા તુફાન જેવું છે, તો સરકારમાં આ કપ પીએમ મોદીનો છે.

   

અદાણી મામલે સંસદમાં થયો હંગામો 

થોડા સમય પહેલા અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી રહી છે. દિવસેને દિવસે તેમની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. અદાણી મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે જેને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રની ભાજપ સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 


ટ્વિટ કરી કોંગ્રેસના નેતાએ સાધ્યું ભાજપ પર નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરી જેમાં તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ અદાણી મામલાને ચાના કપમાં આવેલા તૂફાન કહી નકારી દીધો હતો. ખેર હવે તૂફાનના રૂપમાં સ્વીકારી રહ્યા છે. તો ફિર આ કપ કોઈ બીજાનો નહીં પણ પીએમ મોદીનો છે. આ કોઈ સાધારણ ચાનો કપ નથી.  




ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.