અદાણી મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે સાધ્યું ભાજપ પર નિશાન, ટ્વિટ કરી કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-02-04 11:27:56

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અદાણીને લઈ વિપક્ષી દળો દ્વારા સંસદમાં હંગામો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી જયરામે કહ્યું કે જ્યારે સરકારી અધિકારી કહી રહ્યા હતા કે અદાણી ગ્રુપથી જોડાયેલા મામલા સરકાર માટે ચાના કપમાં આવેલા તુફાન જેવું છે, તો સરકારમાં આ કપ પીએમ મોદીનો છે.

   

અદાણી મામલે સંસદમાં થયો હંગામો 

થોડા સમય પહેલા અદાણીને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટની સીધી અસર અદાણીની સંપત્તિ પર પડી રહી છે. દિવસેને દિવસે તેમની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. અદાણી મુદ્દે સંસદમાં પણ વિપક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો છે જેને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્રની ભાજપ સરકાર પર તેમજ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. 


ટ્વિટ કરી કોંગ્રેસના નેતાએ સાધ્યું ભાજપ પર નિશાન 

જયરામ રમેશે ટ્વિટ કરી જેમાં તેમણે કહ્યું કે એક વરિષ્ઠ અધિકારીએ અદાણી મામલાને ચાના કપમાં આવેલા તૂફાન કહી નકારી દીધો હતો. ખેર હવે તૂફાનના રૂપમાં સ્વીકારી રહ્યા છે. તો ફિર આ કપ કોઈ બીજાનો નહીં પણ પીએમ મોદીનો છે. આ કોઈ સાધારણ ચાનો કપ નથી.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.