Congress નેતા Indranil Rajguruએ રાહુલ ગાંધીની તુલના મહાત્મા ગાંધી સાથે કરતા કર્યો બફાટ! વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-03 18:15:09

ચૂંટણીઓ હોય ત્યારે નિવેદનબાજી પર કોઈ લગામ હોતી નથી.. પૂરી તાકાતથી પ્રચાર-પ્રસાર કરવામાં નેતાઓ શું બોલી જાય છે તેમને પણ અંદાજ રહેતો નથી.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. તે બાદ અનેક રાજનેતાઓના નિવેદનો આવ્યા હતા જે વિવાદાસ્પદ હોય છે.. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમનો અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું...

રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની કરી તુલના!

રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આ વખાણ કરવામાં ભાન ભૂલી ઈન્દ્રનીલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને 'લુચ્ચા' કહીને સંબોધી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે... ચૂંટણીપ્રચારમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા. મહાત્મા ગાંધીને લુચ્ચા તો રાહુલ ગાંધીને નિખાલસ ગણાવ્યા હતા.. અને સાથે એવું પણ કહ્યું કે દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી જ હશે... રાહુલ ગાંધીને પપ્પુ સાબિત કરવા કરોડો રુપિયા ખર્ચ્યા છે તેવું પણ સામે આવ્યું છે... 


વીડિયો વાયરલ થયા બાદ તેમણે આપી પ્રતિક્રિયા

જ્યારે ગાંધીજી માટે અપમાનજનક શબ્દો પ્રયોગ કરવાના મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા તો આનંદનો વિષય છે કે, ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે. ઇતિહાસમાં જે લખાયેલી છે, પુસ્તકોમાં જે લખાયું છે તે વાત મેં કરી હતી. તે બાદ તેમણે વીડિયોને લઈ સ્પષ્ટતા આપી હતી અને તેમણે ભાજપ વિશે પણ વાત કરી હતી.  


રાજનેતાઓની ભાષામાં વધ્યું હીનતાનું પ્રમાણ

ભાન ભૂલીને પ્રચાર કરવો નેતાઓ માટે કેટલું યોગ્ય કહી શકાય.. અગાઉ પણ અમે કહ્યું હતું કે, રાજકારણમાં ભાષા એક મહત્ત્વપૂર્ણ અંગ છે. લોકશાહીમાં જેની ભાષા પરની પકડ મજબૂત હોય છે એ જ નેતા ચાલે છે.પણ  આઝાદી બાદ દેશમાં રાજકારણમાં ભાષામાં અઢળક પરિવર્તન આવ્યું અને ભાષામાં હીનતાનું પ્રમાણ પણ વધતુ જોવા મળ્યું... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.