કોંગ્રેસના નેતાએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-05 14:20:07

દાહોદના ફતેપુરા વિધાનસભાના કોંગ્રેસના નેતા ગોવિંદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીનું મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેરાત બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. 


કોણ છે ગોવિંદ પરમાર?

ગોવિંદભાઈ પરમાર ફતેપુરા વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં ગણવામાં આવે છે. ગોવિંદ પરમાર ફતેપુરા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે કામ કરતા હતા. તેમના જણાવ્યા મુજબ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો અને આમ આદમી પાર્ટીની દિલ્લીની કામગીરીના કારણે તેઓ આપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. 


ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્રણેય પાર્ટીઓ પોતાની રીતે ગુજરાતની જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત રોજ જ આમ આદમી પાર્ટીમાંથી રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનામું આપ્યું હતું અને જ્યાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ આજે જ 21 ઉમેદવારોનું નવું લિસ્ટ જાહેર કરી દીધું છે ત્યારે ચૂંટણી કેવી રહેશે તે જોવાનું રહેશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.