Gandhinagar લઠ્ઠાકાંડ પર Congress નેતા Amit Chavdaના ચાબખાં, ભાજપ સરકાર પર કર્યા પ્રહાર,સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-15 13:38:09

આપણા રાજ્ય ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે એટલે એ રાજ્ય જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી દારૂબંધીનો કાયદો છે પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. લોકો દેશી દારૂ પીને મોતને ભેટી રહ્યા છે. લઠ્ઠાકાંડની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બની રહી છે. ગાંધીનગરના દહેગામના લિહોડામાં દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે જ્યારે અનેક લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બે લોકોના મોત થયા છે જ્યારે હજી બીજા લોકોના મોત પણ થઈ શકે છે તેવી આશંકા છે. આ બધા વચ્ચે ભાજપ સરકાર પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શાબ્દિક પ્રહાર કર્યા છે. લઠ્ઠાકાંડને લઈ સરકારને ઘેરી છે.   

લઠ્ઠાકાંડને અમિત ચાવડાએ ગણાવી....   

લઠ્ઠાકાંડ વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે. અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાન આ બનાવો છે. પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો જેમાં 45થી વધારે લોકોના મોત થયા, નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના   લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયાના અને અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. તે ઉપરાંત દારૂબંધી કાયદા અંગે પણ તેમણે વાત કરી હતી. જો ઈચ્છાશક્તિ હોય તો એક જ મહિનાની અંદર ગુજરાતના કોઈ પણ ખુણે એક ટીપુ પણ દારૂ ન મળે જેવી વાતો કરી ભાજપની સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડા ઉપરાંત કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.