કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ, વિશેષાધિકાર સમિતિએ આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2023-08-30 16:35:06

લોકસભાની પ્રિવલેજ કમિટીએ બુધવાર (30 ઓગસ્ટ)ના રોજ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીનું સસ્પેન્શન રદ્દ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે. તેમને ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવી આવી હતી. અધીર રંજન ચૌધરીએ આજે સંસદની પ્રવલેજ કમિટીની બેઠકમાં પોતાનો પક્ષ રજુ કર્યો હતો. કોંગ્રેસના સાંસદે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુનિલ સિંહની અધ્યક્ષતાવાળી સમિતીને જણાવ્યું કે તેમનો હેતું કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોંતો. મીડિયા રિપોર્ટ મુજબ કમિટીએ અધીર રંજન ચૌધરી સસ્પેન્શન ખતમ કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવને તાજેતરમાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે વિચાર કરવા માટે મોકલવામાં આવશે.


કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા?


વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને ભાજપના સાંસદ જનાર્દન સિગ્રીવાલે પણ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નોંધનીય છે કે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સંસદના તાજેતરમાં પૂરા થયેલા ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેટલીક ટિપ્પણીઓને કારણે 10 ઓગસ્ટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના આચરણ અંગે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.


વિશેષાધિકાર સમિતિએ પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવ્યા


 કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ વિશેષાધિકાર સમિતિ દ્વારા આ બાબત પર વિચાર કરવામાં આવ્યો હતો. સમિતિએ 30 ઓગસ્ટ 2023ના રોજ સાંસદ અધીર રંજન ચૌધરીને મૌખિક પુરાવા માટે બોલાવવાનો નિર્ણય લીધો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.