Surat Railway Station પર બનેલી ઘટનાને લઈ Congressએ કર્યા સરકાર પર પ્રહાર, Shaktisinh Gohilએ લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-11 19:34:29

સુરત રેલવે સ્ટેશનમાં એક દુર્ઘટના સર્જાઈ છે. તહેવાર દરમિયાન વતન જવાની ઈચ્છા દરેક લોકોને હોય છે. દિવાળીના સમયે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. એસટી બસ સ્ટેશન હોય  કે પછી રેલવે સ્ટેશન હોય દરેક જગ્યાઓ પર વેઈટિંગ જોવા મળતું હોય છે. ત્યારે આજે સુરત રેલવે સ્ટેશનથી એક દુખદ સમાચાર સામે આવ્યા હતા જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અનેક લોકો બેભાન થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ત્યાંની મુલાકાત લેવાના છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર પર કર્યા પ્રહાર 

દિવાળી દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ચાર જેટલા લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટનાની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. કોંગ્રેસ આ મામલે આક્રામક દેખાઈ રહી છે. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે સુરતથી બિહાર અને યુપી જવા માટે વધારે ટ્રેન ફાળવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરાઈ રહી છે. જન આંદોલન પણ થયું હતું પરંતુ સરકારે તેમની માગની અવગણના કરી. સરકારની અનદેખીનું આ પરિણામ છે તેવી ટ્વિટ શક્તિસિંહ ગોહિલે કરી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.