Jamnagar Loksabha Seat માટે Congressએ ઉમેદવાર ફાઈનલ કરી દીધા! Poonam maadam સામે જે.પી.મારવિયા લડશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:00:28

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ એક બાદ એક યાદી જાહેર કરી રહી છે. ત્રીજી યાદી આજે જાહેર થાય તેવી સાંભવનાઓ છે પણ એ પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોને ફોન કરી અને તૈયારીઓ કરવા કહી દીધું છે. અને એમાંથી એક નામ છે  જે.પી.મારવિયા જેમને પૂનમ માડમ સામે મેદાને ઉતારવામાં આવશે તેવી વાતો થઈ રહી છે.  


જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હશે જે.પી.મારવિયા! 

ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ત્યારે જામનગર બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ એટલે પૂનમબેન માડમને રિપીટ કર્યા છે. તો આ બેઠક પર કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારની પસંદગી કરી નાખી છે તેવી વાત સામે આવી છે. એવી સંભાવનાઓ છે કે અહીંથી કોંગ્રેસ જે.પી.મારવિયાને મેદાનમાં ઉતારશે, મહત્વનું છે કે હજી સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ પણ જામનગરના કાર્યકર્તોમાં અત્યારથી આને લઈ ઉત્સાહ દેખાઈ ગયો છે. ઉત્સાહમાં કાર્યકર્તાઓ આવી ગયા છે.


હાઈકમાન્ડ દ્વારા ફોન કરવામાં આવ્યો હોવાની વાત

મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી.મારવિયાને ફોન કરી દેવામાં આવ્યો છે અને જામનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે. મારવિયાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની પણ સૂચના આપી છે. ભાજપે જામનગર બેઠક પરથી સાંસદ પૂનમ માડમને રિપીટ કર્યા છે. ત્યારે આ બેઠક પર આહિર અને પાટીદાર નેતા વચ્ચે જંગ જામશે તેવું લાગી રહ્યું છે. જો જે.પી. મારવિયાની વાત કરીએ તો તે કાલાવડ તાલુકાના નીકાવા ગામના વતની છે. મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે અને તેઓ કાલાવડ બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય પણ છે. આ સાથે તેઓ કાલાવાડ માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર પણ છે. 



શું છે જામનગર બેઠકનો ઈતિહાસ? 

હવે જામનગર લોકસભા બેઠકની વાત કરી તો જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચથી ભરેલો છે. આ બેઠક પર વર્ષ 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે છ વખત અને અન્ય પક્ષોને બે વાર જીત મેળવી છે. આ બેઠક પર આહીર સમાજનું  પ્રભુત્વ વધારે છે છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે આહિર સમાજ સામે કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી છેતે કંઈક નવું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા.જોકે થોડા સમય પહેલાજ એજ મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. એટલે કોંગ્રેસ પાસે હાલ નવો દાવ રમવા સિવાય ઓપ્શન નથી.


જાતિગત સમીકરણોની વાત કરીએ તો... 

આ બેઠકના જાતિગત સમીકરણો સમજીએ તો જામનગર બેઠક પર આહીર, મુસ્લિમ, પાટીદાર સાથે SC અને ST મતદારો, બ્રાહ્મણ  મતદારોનું પ્રભુત્વ પણ જોવા મળે છે. મુસ્લિમ મતદારોની 13.86 ટકા,આહિર સમાજની 5.69 ટકા, SC અને ST મતદારોની 14.92 ટકા સંખ્યા છે. ત્યારે કોંગ્રેસનો આ નવો દાવ કેટલો કામ લાગે છે? જામનગરની જનતા કોને પસંદ કરે છે અને અંતે કોંગ્રેસ કયા નામની જાહેરાત કરે છે તે જોવું રહ્યું. 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.