કોંગ્રેસે જમ્મુકશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં Geniben Thakor અને Jignesh Mevaniને સોંપી મોટી જવાબદારી!


  • Published By :
  • Published Date : 2024-09-14 11:59:27

જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.. આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થવાની છે જેને લઈ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.. હરિયાણામાં પણ આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઉમેદવારોની સાથે સાથે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવતી હોય છે. ત્યારે જમ્મુ કાશ્મીરને લઈ કોંગ્રેસ પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના બે નેતાના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.. એક છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને બીજા છે જિગ્નેશ મેવાણી.. ગુજરાતના આ બંને નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

કોંગ્રેસે ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને સોંપી મોટી જવાબદારી 

આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 બેઠકો મળી.. એક બેઠક જે ભાજપના હાથમાંથી ગઈ તે બેઠક છે બનાસકાંઠાની.. આ બેઠક પર બંને રાજકીય પાર્ટીએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી હતી જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા અને દિલ્હીના દરબારમાં એટલે કે લોકસભા પહોંચી ગયા.



દિગ્ગજ નેતાઓને બનાવ્યા છે સ્ટાર પ્રચારક 

ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ગેનીબેન ઠાકોરમાં કોંગ્રેસને પણ આશા દેખાતી હોય તેવું લાગે છે.. ગેનીબેન ઠાકોરને તેમજ જિગ્નેશ મેવાણીને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. જમ્મુ કાશ્મીર માટે તેમને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. આ યાદીમાં 40 નામોનો સમાવેશ થાય છે. જેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. ત્ંયારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?