Congressએ જિલ્લા તેમજ શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જાણો કોને ક્યાંની સોંપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-02-15 12:57:23

કોંગ્રેસે આજે જિલ્લા તેમજ શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 13 પ્રમુખોની નિમણૂંક અલગ અલગ જિલ્લા તેમજ શહેર માટે કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલી યાદીની વાત કરીએ તો જામનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી મનોજ કથેરિયાને સોંપવામાં આવી છે. મનોજ કથેરિયાને જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે જ્યારે  મનોજ ભીખાભાઈ જોષીને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

કોને ક્યાંની જવાબદારી સોંપવામાં આવી?

તે ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી નૌશાદ સોલંકીને સોંપવામાં આવી છે, જ્યારે કિશોર ચીખલીયાને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી હિતેશ મનુભાઈ વ્યાસને, મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી હસમુખ ચૌધરીને સોંપવામાં આવી છે. સુરત શહેરની જવાબદારી ધનસુખ ભગવતીપ્રસાદને જ્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે અશોક પટેલને સોંપવામાં આવી છે. અતુલ રસીકભાઈ રાજાણીને રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.