મોંઘવારી-બેરોજગારી મુદ્દે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસનું એલાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 17:32:41


દેશ અને રાજ્યમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓથી સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ પ્રશ્નો વિરોધ પક્ષો ભાજપને ઘેરવાના પ્રયાસો ચોક્કસ કરશે. કોંગ્રેસે તો તેની જાહેરાત પણ કરી દીધી છે. કોંગ્રેસે જનઆક્રોસને વ્યક્ત કરવા માટે આગામી 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે.


ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક


ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, કોંગ્રેસે લોક લાગણી જીતવાના ભાગરૂપે ગુજરાત બંધની ઘોષણા કરી છે. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે. 


લોકોને બંધમાં જોડાવા અપીલ 


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લોકોને સ્વૈચ્છિકપણે બંધમાં જોડાવા કરી હતી. કાર્યકર્તાઓ આજથી વેપારી એસોસિએશનને મળવાનું ચાલું કરશે અને તેમને વિનંતી કરશે. સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર રાજ્યની પ્રજા પીડિત હોય, ત્યારે પીડિત પ્રજાના પ્રશ્નોને લઈને આ બંધનું કરવામાં આવ્યું છે.'



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.