શંકર ચૌધરી વિરૂદ્ધ કોંગ્રેસે કરી આચાર સંહિતા ભંગની ફરિયાદ, શંકર ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-04-15 18:52:20

લોકસભા ઈલેકશન્સ માટે ભાજપે અને કોંગ્રેંસે બધા એ જ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની ૨૬એ ૨૬ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવારો જાહેર થયા બાદ કાર્યકરો અને સંગઠન બરાબર પ્રચારમાં લાગી ગયા છે. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પ્રચાર કરતા તેમની વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થોડા દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને હવે આ બાબતને લઈને શંકર ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ કરાઈ ફરિયાદ  

ગુજરાતની લોકસભા બેઠક માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક વીડિયો આપણી સામે છે. આ બધા વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે શંકર ચૌધરી એક બંધારણીય પદ પર છે એટલે કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ પર છે. અને આ પદ એ તટસ્થાનું પ્રતીક છે એટલે તેઓ પોતે પ્રચાર કરીને આચારસંહિતાનું ભંગ કરે છે  . 


આચારસંહિતાના ભંગની ફરિયાદ બાદ શંકર ચૌધરીએ આપી પ્રતિક્રિયા  

આ બાદ રાજનીતિ ગરમાઈ. અને આ બધા વચ્ચે શંકર ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, હું  એક બંધારણીય પદ પર છું , અને મને કોઈ પણ રીતનું કાયદાકીય બંધન નથી. એટલે કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો ચૂંટણીનો પ્રચાર ના કરી શકે, કોઈ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે . એવું બંધારણમાં ક્યાંય લખેલું નથી. પરંતુ હું બંધારણનું સન્માન કરવામાં માનું છું . એની પરંપરાઓનું માન રાખું છું એટલે જ  આ લોકસભાની ચૂંટણી દરમ્યાન કોઈ પણ રાજકીય પક્ષનો સીધી રીતે પ્રચાર નથી કર્યો. 

  


સાત મેના રોજ ગુજરાતમાં થશે મતદાન 

મહત્વનું છે હાલ ચૂંટણીનો સમય છે, એટલે સામસામા નિવેદનો, ભાષણો તો થતા જ રહેવાના પણ એ વાત દરેક રાજકીય પક્ષ માટે જરૂરી છે કે તેઓ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન કરે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. એક જ દિવસે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થશે અને એ છે 7 તારીખે... 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.