વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary સામે કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-12 17:32:39

લોકસભા ચૂંટણીનો જંગ ગુજરાતમાં ધીરે ધીરે શરૂ થઈ જશે.. રાજકીય પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવી ગયો છે. અનેક ઉમેદવારો પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી પ્રચારમાં દેખાય છે. સી.આર.પાટીલ અલગ અલગ બેઠકો પર જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ શંકર ચૌધરી વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે.. 



વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની કરાઈ પસંદગી  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે મોટી જીત હાંસલ થઈ હતી.... એ વખતે એક ભાષણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.. ચર્ચા એવી હતી કે સરકારમાં મોટુ પદ મળી શકે... પણ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન આવ્યું.....અને બાદમાં સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા... બંધારણીય પદે નિયુક્ત થયા પછી એ જ દિવસથી તેઓ કોઈ પક્ષના સભ્ય રહેતા નથી... આ બધી વાતો હું એટલે કહી રહી છું કે, તેમનો એક વીડિયો સામે આવ્યો જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે...


આચારસંહિતા ભંગ બદલ કરવામાં આવી શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ 

ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. અને આ પદ પર તેઓ અમુક કામગીરી ખાસ પક્ષ માટે નથી કરી શક્તા જેના કારણે તેમની સામે આચરસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.... કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે...વીડિયો પૂરાવા સાથે ચૂંટણી પંચને તેમણે પત્ર લખ્યો છે... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.