વિધાનસભા અધ્યક્ષ Shankar Chaudhary સામે કોંગ્રેસે કરી આચારસંહિતા ભંગની ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-12 17:32:39

લોકસભા ચૂંટણીનો જંગ ગુજરાતમાં ધીરે ધીરે શરૂ થઈ જશે.. રાજકીય પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવી ગયો છે. અનેક ઉમેદવારો પ્રચાર કરતા હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી પ્રચારમાં દેખાય છે. સી.આર.પાટીલ અલગ અલગ બેઠકો પર જઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વિરૂદ્ ફરિયાદ કરી છે. આદર્શ આચારસંહિતાના ભંગ બદલ શંકર ચૌધરી વિરૂદ્ધ પગલા લેવામાં આવે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે.. 



વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની કરાઈ પસંદગી  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો સાથે મોટી જીત હાંસલ થઈ હતી.... એ વખતે એક ભાષણમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ.. ચર્ચા એવી હતી કે સરકારમાં મોટુ પદ મળી શકે... પણ મંત્રીમંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન આવ્યું.....અને બાદમાં સહકારી ક્ષેત્ર અને ઓબીસી સમાજના મોટા નેતા તરીકેની છબિ ધરાવતા શંકર ચૌધરીને વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા હતા... બંધારણીય પદે નિયુક્ત થયા પછી એ જ દિવસથી તેઓ કોઈ પક્ષના સભ્ય રહેતા નથી... આ બધી વાતો હું એટલે કહી રહી છું કે, તેમનો એક વીડિયો સામે આવ્યો જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા છે...


આચારસંહિતા ભંગ બદલ કરવામાં આવી શંકર ચૌધરી વિરૂદ્ધ ફરિયાદ 

ગુજરાતમાં અત્યારે ભાજપ પક્ષ સત્તામાં છે, અને સત્તામાં લાવવા માટે કેટલાય નેતાઓએ અથાક અને સખત પરિક્ષમ કર્યો છે. આમાં એક નામ ભાજપના દિગ્ગજ નેતા ગણાતા શંકર ચૌધરીનું પણ છે. શંકર ચૌધરી છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ માટે ખુબ જ મહેતન કરી રહ્યાં છે. શંકર ચૌધરી હાલમાં ગુજરાત વિધાનસભામાં સ્પીકર તરીકે કામગીરી સંભાળી રહ્યાં છે. અને આ પદ પર તેઓ અમુક કામગીરી ખાસ પક્ષ માટે નથી કરી શક્તા જેના કારણે તેમની સામે આચરસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે.... કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે...વીડિયો પૂરાવા સાથે ચૂંટણી પંચને તેમણે પત્ર લખ્યો છે... 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.