Gujarat Election : કોંગ્રેશને 'નરેશ'નો મોહ નથી છૂટતો !


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 15:15:42

મનહર પટેલનો દાવો, 'નરેશ પટેલ ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય, પરંતુ અમને બહાર રહીને મદદ કરશે'


કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે. 

કોંગ્રેસ નેતા મનહર પટેલની ફાઇલ તસ્વીર 

નરેશ પટેલને લઈને કદિર પીરઝાદાનું નિવેદન કોંગ્રેસને નુકસાન કરાવશે: મનહર પટેલ

વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ મેદાને આવ્યા છે. આજે કોંગ્રેસના 25 જેટલા પાટીદાર નેતાઓએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠક અંગે કોંગ્રેસના નેતા મનહર પટેલે દાવો કર્યો હતો કે નરેશ પટેલ 2022માં ભલે સક્રિય રાજકારણમાં ન જોડાયા હોય પરંતુ 2017ની જેમ બહાર રહીને અમને મદદ કરશે. 


ખોડલધામ ટ્રસ્ટી નરેશ પટેલની ફાઇલ તસ્વીર 

Gujarat's Patidar leader Naresh Patel likely to join Congress - India News


મનહર પટેલે વધુમાં કહ્યું હતું કે. ભાજપના 27 વર્ષના શાસનથી લોકો થાકી ગયા છે. શિક્ષણ આરોગ્ય અને બેરોજગારી અને મોંધવારી જેવા મુદ્દાઓ રહેલા છે, ત્યારે આ વર્ષે કોંગ્રેસ તરફી વાતાવરણ છે અને તેમાં પાટીદાર નેતા નરેશ પટેલનું સમર્થન મળે અને કોંગ્રેસની સરકાર બને તેવા અમારા પ્રયત્નો છે. આજે નરેશ પટેલને મળીને પાટીદારોની ચિંતન શિબીરનું આયોજન કરાયું છે જે આગામી દિવસોમાં ગુજરાતના દરેક ઝોનમાં કરવામાં આવશે.


મહત્વનું છે કે નરેશ પટેલે સક્રિય રાજકારણમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી દીધી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ દૂર રહેશે તેવી પણ જાહેરાત કરી હતી. જો કે ત્યારબાદ અચાનક જ નરેશ પટેલની કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે બેઠક ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.