Loksabha Election માટે Congressએ મેનિફેસ્ટો કર્યો જાહેર, જાણો ઘોષણ પત્રમાં શેની આપવામાં આવી ગેરેંટી?


  • Published By :
  • Published Date : 2024-04-05 15:36:08

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવમાં રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને લઈ ઘોષણા પત્રની જાહેરાત કરી છે. ઘોષણ પત્રમાં અનેક ગેરેંટી આપવામાં આવી છે. જે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તેમાં 25 ગેરેંટી આપવામાં આવી છે.. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ આ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાંચ ન્યાય પર આધારીત છે કોંગ્રેસનો ઘોષણા પત્ર જેમાં શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

..  

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હતા હાજર 

કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર કોણ હશે તેના પર મતદાતાઓની નજર રહેલી હોય છે અને તે બાદ પાર્ટી કયા વાયદા કરે છે તેની પર નજર હોય છે... ત્યારે આજે મેનિફેસ્ટો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર હતા. 25 ગેરેંટીની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જેમાં ગરીબ પરિવારની મહિલાઓને વર્ષમાં એક લાખ આપવામાં આવશે, જાતિ જનગણના કરવામાં આવશે તેવો વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એમએસપી અંગેની વાત પણ કરવામાં આવી. મનરેગા મજૂરી 400 કરવામાં આવશે તેવી વાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી.. તે ઉપરાંત લાખો સરકારી નોકરીઓ આપવાની વાતનો પણ ઉલ્લેખ મેનિફેસ્ટોમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.   


કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી આ ગેરેંટી

પાંચ ન્યાયની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે જે મુજબ અનેક ગેરેંટી આપવામાં આવી છે. શ્રમિક ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, હિસ્સેદારી ન્યાયનો ઉલ્લેખ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. હિસ્સેદારી ન્યાય અંતર્ગત જાતિ જનગણના કરાવવામાં આવશે ઉપરાંત આરક્ષણને લઈને પણ કોંગ્રેસ દ્વારા વાયદો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ખેડૂત ન્યાય અંતર્ગત એમએસપીની વાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી. તે ઉપરાંત શ્રમિક ન્યાય અંતર્ગત મજદૂરોને આરોગ્યની સેવા આપવાની વાત કરવામાં આવી છે, ઉપરાંત મજૂરોને મળતા વેતન અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. તે ઉપરાંત ગરીબ મહિલાઓને પણ પૈસા આપવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા તો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવી ગયો છે ત્યારે સૌ કોઈની નજર ભાજપના મેનિફેસ્ટો પર રહેલી છે...   



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.