Loksabha 2024માં BJP-Congress સામસામે! આ રણનીતિ કામે લાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-02 12:46:10

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સતત એકબીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કનૈયા કુમાર સહિતના નેતા પીએમ મોદી અને અદાણીની સાંઠગાઠ પર નિવેદનો આપીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં થયેલા ભ્ર્ષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપે આ માટે 'Congress Files' નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના 2004થી 2014 સુધીના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ


ભાજપને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડ્લ મારફતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષના તેના શાસનમાં લગભગ 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર કર્યો છે, આટલી રકમથી તો 24 INS વિક્રાત, 300 રાફેલ વિમાન અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. ભાજપે કોંગ્રેસના  2004થી 2014 સુધીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, ભાજપને આરોપ છે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌંભાડ, ટુજી સ્પેક્ટ્રમ કૌંભાડ, કોમનવેલ્થ કૌંભાડ અને મનરેગા કૌંભાડ દ્વારા કરોડો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર


ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની સિરીઝ બની હતી. 2004થી 2014 સુધીના સમયગાળામાં મનમોહન સિંહની સરકાર હતી અને રોજ નવા કૌંભાડો બહાર આવતા હતા. જેમ કે કોલસા કૌંભાંડ 1.86 લાખ કરોડ, ટુ જી સ્પેક્ટ્રમ કૌંભાંડ 1.76 લાખ કરોડ, 10 હજાર કરોડનું મનરેગા કૌંભાડ, 70 હજાર કરોડનું કોમન વેલ્થ કૌંભાડ, ઈટલી પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં 362 કરોડની દલાલી અને રેલ્વે બોર્ડની ચેરમેનની ખુરશી માટે 12 કરોડની લાંચ સહિતના ભ્રષ્ટાચાર થયા હતા.


કોંગ્રેસ શું આપશે?


ભાજપે શરૂ કરેલી 'Congress Files'સિરીઝથી ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારને મોરચે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે. કોંગ્રસને અન્ય વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસના ટેકામાં આ વિરોધ પક્ષો કેટલા આગળ આવે છે તે પણ જોવાનું રહેશે.    


PM મોદીનો આરોપ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચારી બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, અને ભાજપ વિરોધી પક્ષોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ બંધ થવાની નથી. PMએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય વિકાસ એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને CBI સહિતની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!