24 કલાક પહેલા AAPમાં જોડાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ કરી ઘરવાપસી


  • Published By :
  • Published Date : 2022-12-10 09:04:33

7 ડિસેમ્બરના રોજ એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જીત મેળ્યા બાદ કોંગ્રેસના 2 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે માત્ર 2 દિવસ પછી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

AAP bags MCD, too

બે ઉમેદવારોએ છોડ્યો હતો કોંગ્રેસનો સાથ 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.પરંતુ છેલ્લા અનેક વર્ષોથી MCDમાં ભાજપનો કબજો હતો. ત્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીને કબજે કરી લીધી છે. આ ચૂંટણીના પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યાને દિવસો વીતી ગયા છે પરંતુ આની ચર્ચાઓ પૂરી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાંથી બે વિજતા ઉમેદવારો થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે આ બંને ઉમેદવારોએ ઘરવાપસી કરી લીધી છે.   

Gujarat jolt, Himachal boost leaves Congress with bittersweet taste;  sterner tests await party on road to 2024 | India News - Times of India

માત્ર 24 કલાકમાં કરી કોંગ્રેસમાં ઘરવાપસી 

બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો છેડો ફાળી દીધો હતો. નાજિયા ખાતુનને 9639 વોટ મળ્યા હતા જ્યારે સબિલા બેગમને 14921 વોટ મળ્યા હતા. સારા વોટથી જીત હાંસલ કર્યા બાદ એકાએક તેઓ આપમાં જોડાઈ ગયા. પરંતુ ચર્ચાની વાતએ બની રે માત્ર 24 કલાકની અંદર જ બંને ઉમેદવારોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.