દિવાળી બાદ કોગ્રેસના ઉમેદવારની લિસ્ટ જાહેર કરાશે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:43:50

ગુજરાત વિધાસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે કોગ્રેસ ચૂંટણી જીતવા તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે હવે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે હતા અને અને NCPના નેતા સાથે ગઢબંધનને લઇને બેઠક યોજી હતી. ત્યારબાદ અશોક ગહેલોતે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. 


શું કહ્યું અશોક ગેહલોતે ? 

અશોક ગહેલોતે પીએમના વારંવાર ગુજરાત પ્રવાસ પર સવાલો કર્યા અને તેમણે કહ્યું હતું કે, પીએમ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તો દિલ્હીના કામ કેમ થશે? અને ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં પીએમઓ ઓફિસ શરૂ કરી દેવી જોઈએ. અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, આ તમામ કાર્યક્રમો સરકારી ખર્ચ પર કરવામાં આવે છે. તેમને કહ્યું રાહુલ ગાંધી પણ યાત્રા કરી રહ્યા છે પરંતુ તે દેશ જોડવા માટે છે... 


કેજરીવાલ પર કર્યા પ્રહાર.... 

કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું કેજરીવાલ પણ ભાઈ જેવા જ છે. પંજાબ જીત્યા એટલે હવે ગુજરાતમાં ફ્રી આપવાની વાત કરે છે. કેજરીવાલ પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે? અશોક ગેહલોતે ગુજરાતને વાયદો કર્યો હતો કે, જો ગુજરાતમાં જીત મળશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. 


ગુજરાત CM માટે શું કહ્યું ? 

અશોક ગેહલોતે કહ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભલા માણસ છે. પરંતુ આટલા ભલા માણસનું રાજકારણમાં કામ નથી. વધુમાં તેમને ચૂંટણી વિશે કહ્યું, આ વખતે ટકરો મારી સીટ આપવાની છે. એનસીપી સાથે ગઠબંધનની વાત ચાલી રહી છે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની એક યાદી જાહેર કરવામાં આવશે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.