Banaskanthaમાં કોંગ્રેસના ઉમેદવાર Geniben Thakorએ પોલીસ અને અધિકારીઓ પર લગાવ્યા આ ગંભીર આરોપ! સાંભળો શું કહ્યું ?


  • Published By :
  • Published Date : 2024-04-08 16:25:59

લોકસભા ચૂંટણીને લઈ ભાજપે 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો પર ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ બનાસકાંઠા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ તેમજ કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપના ઉમેદવાર છે રેખાબેન ચૌધરી જ્યારે કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેનને લોકસભા ઉમેદવાર બનાવ્યા છે. પ્રચારની શરૂઆત તો કરવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોર દ્વારા આપવામાં આવતા નિવેદનની ચર્ચા થતી હોય છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર નિશાન સાધ્યું છે. પોલીસને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે જેની ચર્ચા થઈ રહી છે..


પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

બનાસકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અનેક મુદ્દાઓ પર તે નિવેદન આપતા હોય છે ત્યારે ફરી એક વખત તેમનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. પોલીસને લઈ તેમણે નિવેદન આપ્યું છે. ના માત્ર પોલીસ પર પણ પરંતુ અધિકારીઓ પર પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. ગેનીબેન ઠાકોરે પોલીસ પર હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક સભા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કહ્યું કે, વહીવટી રીતે અધિકારીઓને સરકારે છુટો દોર આપી દીધો છે. શાકભાજીવાળા અને નાના વેપારી પાસેથી પોલીસ હપ્તા માંગે છે. વળી, મોટા વેપારી અને જ્વેલર્સ પાસેથી GSTના અધિકારી હપ્તા માંગે છે, ઠેર ઠેર હપ્તાખોરી વધી છે.


આ નિવેદન બાદ ગરમાઈ શકે છે ગુજરાતની રાજનીતિ!

મહત્વનું છે કે ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત પ્રચાર દરમિયાન એવા નિવેદન લાવતા હોય છે જેને લઈ ચર્ચા થતી હોય છે અથવા તો રાજનીતિ ગરમાઈ જતી હોય છે.. ત્યારે ગેનીબેન ઠાકોરના આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિ ગરમાઈ શકે છે...    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.