રસ્તા પર વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી, ભાજપ સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! જાણો અમિત ચાવડાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-05 12:50:37

ગુજરાતમાં વરસાદી મોસમ જામી છે. સિઝનની શરૂઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તિ ઉઠી છે, પરંતુ રોડ રસ્તાને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર પડેલા ખાડા, ભૂવાને કારણે લોકો હેરાન થઈ ગયા છે. ત્યારે અમદાવાદમાં તેમજ રાજ્યમાં વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે.  અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.

  

રસ્તા પર પડતા ખાડાને લઈ કોંગ્રેસે કર્યા પ્રહાર

વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. વરસાદની શરૂઆત થતાં જ રાજ્યના રસ્તાઓ પર ભૂવાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત જેવા શહેરો હોય કે કોઈ ગામડાનો રસ્તો હોય દરેક જગ્યાઓ પર ભૂવા અથવા તો ખાડા મળી આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જ્યાં પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી દીધી હોય. રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. ત્યારે વધતા ભૂવાને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. શું એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી? ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રીજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભુવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થાય છે.     


અમિત ચાવડાએ અનેક બ્રિજોના આપ્યા ઉદાહરણ

પોતાના સંબોધનમાં અમિત ચાવડાએ મોરબી બ્રિજ દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તૂટ્યો તેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તૂટ્યો, સુરતમાં 110 કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર 75 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર તિરાડ પડી, જેને મોદીજીના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે.



ગેનીબેન ઠાકોરે પણ સરકારને આડેહાથ લીધી હતી 

અમિત ચાવડા ઉપરાંત પત્રકાર પરિષદમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા. ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર દારુબંધી મામલે સવાલો ઉઠાવ્યા હતા. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા હતા કે ગુજરાતના સરહદના જિલ્લાઓમાં કેવી રીતે બીજા રાજ્યોથી દારુ પહોંચી રહ્યો છે અને કેવી રીતે ગાંધીનગર સુધી હપ્તા પહોંચી રહ્યા છે. બંને નેતાઓએ  કોન્ટ્રાક્ટ સિસ્ટમ, ગુજરાતમાં બિસ્કિટની જેમ તૂટતા બ્રિજ, ટેન્ડર પ્રક્રિયા, ફિટનેસ સર્ટિફિકેટ, ભ્રષ્ટાચાર, ગુજરાતમાં દારુ ઘૂસાડવાના વેપલા વગેરે વિષય પર સરકાર પર પ્રહાર કર્યા હતા.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!