Congressના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ - કોંગ્રેસે કર્યો દાવો, જાણો આ મામલે શું કહેવામાં આવ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-16 15:18:29

ઈન્કમ ટેક્સ વિભાગ પર કોંગ્રેસે એક મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતા અજય માકન દ્વારા એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટીના તમામ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત યુથ કોંગ્રેસનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી કે ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 2018-19ના ઈન્કમ ટેક્સ રિટર્નના આધાર પર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે. 210 કરોડની રિકવરી કરવાનો આદેશ પણ ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. એવી માહિતી સામે આવી છે કે કોંગ્રેસને રાહત આપવામાં આવી છે. બુધવાર સુધી પાર્ટીને રાહત આપવામાં આવી છે. ત્યારબાદ આ મામલો આવકવેરા વિભાગ અને આવકવેરા વિભાગના અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પહોંચ્યો હતો જ્યાંથી બુધવાર સુધી કોંગ્રેસને રાહત મળવાના અહેવાલ મળ્યાં હતાં. 

 

  

કોંગ્રેસ તેમજ યુથ કોંગ્રેસના બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ! 

ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસ તેમજ યુથ કોંગસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેની માહિતી કોંગ્રેસના અજય માકન દ્વારા આપવામાં આવી હતી. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 210 કરોડ રુપિયાની રિકવરીની માગ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને એક દિવસ પહેલા જ જાણકારી મળી કે બેંકને અમે જે ચેક મોકલી રહ્યા છે તે ક્લીયર નથી થઈ રહ્યા. 



લોકતંત્રને લઈ કોંગ્રેસે કહી આ વાત!

વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનમાં લોકતંત્ર પૂર્ણ રીતે ખતમ થઈ ચૂક્યું છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના બધા એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટ પર પણ તાળાબંધી કરવામાં આવી છે. આ કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ નથી થયા, આપણા દેશનું લોકતંત્ર ફ્રીઝ થઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે?  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે