ગુજરાતની નદીઓને લઈ કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, ગુજરાતની 13 નદીઓનું પાણી ન્હાવાલાયક પણ નથી!


  • Published By :
  • Published Date : 2023-04-06 11:17:38

જળને જીવન માનવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતની નદીમાં પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતની એટલી નદીઓ એવી છે જેનું પાણી પીવાલાયક તો નથી જ પરંતુ ન્હાવાલાયક પણ નથી. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રદુષિત નદીઓ માટે કેમ આટલી ઉદાસીન છે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો.


પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે કર્યા પ્રહાર 

વિકાસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગુજરાતની સાબરમતી,ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદુષિત નદીઓ છે. જ્યારે મીંઢોશા, માહી, શેઢી, ભોગવો, ભૂખી, ખાડી, દમણગંગા, તાપી નદીનો પણ પ્રદુષિત નદીઓના લિસ્ટમાં સમાવેશ થાય છે. ત્યારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રાજ્યની પ્રદુષિત નદીઓેને લઈ સરકારને સવાલ કર્યા હતા. 

 

25માંથી 13 નદીઓનું પાણી ન્હાવા લાયક નથી!

આ પ્રશ્ન સંસદમાં પણ ઉઠ્યો હતો. આ વાતનો આધાર લઈ કોંગ્રેસે કહ્યું કે લોકસભામાં કેન્દ્ર સરકારે વર્ષ 2022-23માં નદીઓનાં પ્રદુષણ ઘટાડવા અંગે એક રુપિયો પણ વાપર્યો નથી. ભારતની 603 નદીઓમાં પાણી શુદ્ધ નથી. ગુજરાતની સાબરમતી નદી સમગ્ર દેશમાં પ્રદુષિત નદીઓના લિસ્ટમાં બીજા ક્રમે છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની 25 નદીઓમાંથી 13 નદીઓના પાણી ન્હાવાલાયક નથી. એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદુષણના લીધે હવે તે ન્હાવાલાયક પણ નથી.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.