પેપર લીક મુદ્દાને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 17:43:05

ગુજરાતમાં આવેલી અનેક યુનિવર્સિટીમાં પેપર ફૂટતા રહે છે. પેપર લીક થવાને કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થાય છે. પેપર કાંડને લઈ કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. ભાજપ પર પ્રહાર કરતા પવન ખેરાએ કહ્યું કે ઉત્તર પ્રદેશ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય કે કેન્દ્રમાં મોદી સરકાર હોય, આખા દેશના રાજ્યોમાં કે કેન્દ્રમાં જ્યાં પણ ભાજપની સરકારો છે તે ભારતના યુવાનોના ભવિષ્યને શરમજનક રીતે કચડી રહી છે.

 

હજી સુધી કેટલા પેપર લીક થયા તે કોંગ્રેસે યાદ કરાવ્યા 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આ કૌભાંડ એટલું વ્યાપક છે કે અત્યાર સુધીમાં 14 ભરતી પરીક્ષાઓ લીક થઈ છે, 34 ભરતી પરીક્ષામાં ગોટાળો થયો છે અને શાળા કોલેજોની પરીક્ષાઓના પેપર લીકની ગણતરી પણ નથી. પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે.

       

ભાજપની ગૌરવ યાત્રા પર કર્યા અનેક પ્રહાર

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પોતાની પાર્ટીનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા પર કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ત્યારે પવન ખેડાએ કહ્યું કે એક તરફ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી રહી છે તો બીજી તરફ પેપર લીકના 22 કેસ સામે આવ્યા છે. ભાજપ સરકાર યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે. ઉપરાંત રાજ્યની યુનિવર્સિટીઓના પેપર વારંવાર લીક થયા પણ આજ દિન સુધી કોઈ પણ જવાબદાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી ના કરી શું ભાજપને આ વાતનું ગૌરવ છે?

   




લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..