Congressએ સરકારને પૂછ્યો સવાલ, કોંગ્રેસે પૂછ્યું કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ?


  • Published By :
  • Published Date : 2023-08-23 18:30:12

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની અછત છે શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, તો બીજી તરફ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરી રહી નથી. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ટેટ ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. 

સરકારને કોંગ્રેસે પૂછ્યો એક સવાલ 

ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેમની વાત સાંભળવા કોઈ મંજૂર નથી. સરકારની સમક્ષ જ્યારે પોતાની વાત કરવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પણ રજૂઆત કરવા જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે તેમને સચિવાલય સુધી પહોંચવા ન દીધા હતા. તેની પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. કાયમી ભરતી કરવા માટે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે. ૮૦,૦૦૦ થી વધુ પદો શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રતિક્ષામાં છે તો આ કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ? 

જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભરવા માટે યુવરાજસિંહ જાડેજાએ કરી અપીલ 

યુવરાજસિંહ પણ ટેટ ટાટના સમર્થનમાં આવ્યા છે. ઉમેદવારોને એક અપીલ કરી છે.  ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે આવનાર દિવસોમાં જ્યારે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન સહાયકમાં ફોર્મ ન ભરે. અને આપણે કાયમી શિક્ષક બનવા માગીએ છીએ તો, એવા રચનાત્મક કાર્યક્રમો આપીએ જેથી કરીને કાયમી શિક્ષકોની જરૂરિયાત શું છે એ સમજી શકાય.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!