Congressએ સરકારને પૂછ્યો સવાલ, કોંગ્રેસે પૂછ્યું કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ?


  • Published By :
  • Published Date : 2023-08-23 18:30:12

શિક્ષણનું સ્તર સતત ઘટતું જઈ રહ્યું છે. એક તરફ શિક્ષકોની અછત છે શાળામાં શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ભણી શકતા નથી, તો બીજી તરફ સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરી રહી નથી. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ ટેટ ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. 

સરકારને કોંગ્રેસે પૂછ્યો એક સવાલ 

ટેટ ટાટના ઉમેદવારો ઘણા સમયથી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે અને કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેમની વાત સાંભળવા કોઈ મંજૂર નથી. સરકારની સમક્ષ જ્યારે પોતાની વાત કરવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા પણ રજૂઆત કરવા જ્યારે ઉમેદવારો ગયા હતા ત્યારે તેમને સચિવાલય સુધી પહોંચવા ન દીધા હતા. તેની પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પણ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. કાયમી ભરતી કરવા માટે કોંગ્રેસે એક ટ્વિટ કરી છે. ૮૦,૦૦૦ થી વધુ પદો શિક્ષકોની કાયમી ભરતી માટે પ્રતિક્ષામાં છે તો આ કાયમી ભરતી કરી શિક્ષણનું સ્તર સુધારવાની કોશિશ સરકાર કેમ નથી કરતી ? 

જ્ઞાન સહાયકનું ફોર્મ ન ભરવા માટે યુવરાજસિંહ જાડેજાએ કરી અપીલ 

યુવરાજસિંહ પણ ટેટ ટાટના સમર્થનમાં આવ્યા છે. ઉમેદવારોને એક અપીલ કરી છે.  ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે આવનાર દિવસોમાં જ્યારે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી જ્ઞાન સહાયકમાં ફોર્મ ન ભરે. અને આપણે કાયમી શિક્ષક બનવા માગીએ છીએ તો, એવા રચનાત્મક કાર્યક્રમો આપીએ જેથી કરીને કાયમી શિક્ષકોની જરૂરિયાત શું છે એ સમજી શકાય.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.