Election તટસ્થતાથી થાય તે માટે Congressએ મતદાતાઓને કરી અપીલ, જો મતદાર પર દબાણ કરવામાં આવે છે તો ફોન રેકોર્ડિંગ કરો અને...!


  • Published By :
  • Published Date : 2024-04-24 13:22:51

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે એક સવાલ, એક આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો છે...! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં પોલીસ અને તંત્ર પર આરોપ લગાવવમાં આવ્યો છે કે પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી (શક્તિસિંહ ગોહિલ) પાસે આવી છે. સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તો તેનું રેકોર્ડિંગ કરવામાં આવે અને વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલવામાં આવે...

સોશિયલ મીડિયા પર શક્તિસિંહ ગોહિલે લખ્યું કે.. 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક નાગરિકની ફરજ છે.. મતદાન કરી લોકશાહીને જાળવવી એ આપણી ફરજ છે.. પોતાના પસંદના ઉમેદવારને મત આપી મતદાતાઓ સંસદ તેમને પહોંચાડતા હોય છે.. ચૂંટણી પક્ષપાત વગર તટસ્તાથી પૂર્ણ થાય તેની જવાબદારી તંત્રની અને પોલીસની હોય છે... ત્યારે પોલીસ અને તંત્રને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાત કરવામાં આવી છે.. સોશિયલ મીડિયા પર અનેક મતદાતાઓને ડરાવી ધમકાવીને સત્તાધારી પક્ષને મત આપવા માટે ફોર્સ કરવામાં આવે છે પોલીસ અને તંત્ર દ્વારા આવી અનેક રજૂઆત કોંગ્રેસને મળી છે તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે...



શક્તિસિંહ ગોહિલે કહ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શક્તિસિંહ ગોહિલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે આ અંગેની વાત કરી છે...  ટ્વિટમાં તેમણે લખ્યું છે  ચૂંટણીનું પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી  કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે. હું સૌ જાગૃત મતદાતાઓને કહેવા માગું છું કે, પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુન્હાહીત કૃત્યનું  મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો,  CCTV કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલો. અમારી ટીમ કાયદાકીય કાર્યવાહી કરશે.

તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જનસેવક છે. આપનો ધર્મ  તટસ્થતાથી ભય વગર કામ કરવાનો છે અને આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકેની બજાવશો તેવી અપેક્ષા.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.