કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો કર્યો વાયદો


  • Published By :
  • Published Date : 2022-11-12 13:45:00

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. હજી સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં શિક્ષણ, મોંઘવારી, રોજગાર, મહિલા સુરક્ષા, ખેડૂત લક્ષી સહિત અનેક મુદ્દાઓને આવરી લીધા છે.

Image

Image

Image

Image


વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરાશે 

અશોક ગેહલોતની હાજરીમાં કોંગ્રેસે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ઘોષણા પત્ર જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે જગદીશ ઠાકોર, રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસ આ વખતે 125 સીટથી સરકાર બનાવી રહી છે. પોતાના ઢંઢેરામાં પાર્ટીએ ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તે માટે પ્રયાસ હાથ ધરાશે.

Image

Image

moterastadiumLLF8.jpg

મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે 

કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં જાહેર કર્યું છે કે પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન સ્થાપિત કરવાનો વાયદો આપ્યો છે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમનું નામ ફરી એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ નામ કરવામાં આવશે. ઉપરાંત મહિલા સુરક્ષા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ સૌથી ચર્ચિત બિલ્કીસ બાનુ કેસના આરોપીઓને સજા માફ કરવાના નિર્ણયને રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.