Gandhinagarમાં TET-TAT ઉમેદવારો સાથે થયેલા ગેરવર્તનની Congress અને AAPએ કરી ટીકા, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-22 12:34:24

ગઈકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ભાવિ શિક્ષકો વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેટ-ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. સરકારને અનેક વખત આ અંગે રજૂઆત કરવા ગાંધીનગર ઉમેદવારો પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારો સાથે પોલીસ દ્વારા એવું વર્તન કરવામાં આવે છે કે જાણે તે લોકો આતંકવાદીઓ હોય. કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો શિક્ષણ સચિવને મળવા પહોંચ્યા હતા પરંતુ તેમની સાથે કરવામાં આવેલો વ્યવહાર નિંદનિય છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે જે રીતના વર્તન થયું તેને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા નિંદા કરવામાં આવી છે. 

શિક્ષણ સચિવ સાથે વાત કરવા પહોંચ્યા હતા ઉમેદવારો 

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય તે માટે ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે અનેક વખત પ્રયાસ કર્યા પરંતુ ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારો આંદોલન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવિ શિક્ષકો સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે અશોભનિય છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો સાથે કરવામાં આવેલા વર્તનની નિંદા કરી છે. 

આપ અને કોંગ્રેસે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનની કરી નિંદા  

ગુજરાત કોંગ્રેસે ટ્વિટ કરી લખ્યું કે કાયમી ભરતી કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા યુવાનો પર બળપ્રયોગ નિંદનીય છે. ગુજરાત ભાજર સરકાર યુવાનોનો અવાજ સાંભળવાને બદલે દબાવવાનો પ્રયાસ કરી રહી છે! યુવાનોની ધીરજ તૂટે તે પહેલા સરકારે નિંદ્રામાંથી જાગીને કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ. તે ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યું જેમાં લખવામાં આવ્યું કે ભાજપ સરકારનું રાજ છે એટલે તાનાશાહી અપાર છે. ભાજપનો કે ભાજપની યોજનાનો વિરોધ કરશો તો આવો અત્યાચાર સહન કરવો પડશે. મહત્વનું છે કે જમાવટની ટીમ જ્યારે ગાંધીનગર પહોંચી હતી ત્યારે ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.