Chaitar Vasavaના કેસ મુદ્દે Congress આક્રામક જ્યારે AAP ઠંડી! શું AAPનાં નેતાઓને લાગે છે આ ડર?


  • Published By :
  • Published Date : 2023-11-18 13:57:08

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ થઈ છે ત્યારથી તે ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે અને ચૈતર વસાવાની શોધખોળ ચાલી રહી છે. અનેક સમય વિત્યો પરંતુ ચૈતર વસાવા હજી પોલીસને પકડની બહાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં કેમ્પેઈન ચલાવ્યું પરંતુ તે બાદ આ મામલે તે નિષ્ક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આપ દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવી નથી રહ્યું. આપ આ મામલે કંઈ નથી કરી રહ્યું પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે.   

આપ દ્વારા કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ હવે!

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અનેક વખત આપ દ્વારા રેલી કાઢવામાં આવી. ચૈતર વસાવાના સપોર્ટમાં કેમ્પેઈન ચલાવવામાં આવ્યું પરંતુ આ મામલે આપ એટલી આક્રામક નથી દેખાઈ જેટલા આક્રામક કોંગ્રેસના ધારાસભ્યો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દેખાઈ રહ્યા છે.  આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ આ મામલે વધારે આક્રામક દેખાઈ નથી રહ્યા. શરૂ શરૂમાં જ્યારે કેસ થયો ત્યારે આપના કાર્યકર્તાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર આવેદનપત્ર પાઠવવામાં આવ્યા. પરંતુ ધીરે ધીરે આ પણ આપ દ્વારા બંધ કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાને સમર્થનમાં નિવદેન  


અનંત પટેલે અનેક વખત આપ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં નિવદેન 

ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી આવ્યા છે. અનંત પટેલે તો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. થોડા સમય પહેલા પણ તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જેવી રીતે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેવો અવાજ કદાચ  આમ આદમી પાર્ટીને ઉઠાવવો જોઈએ! થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ફરી એક વખત અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં હોવાની વાત કરી હતી.      



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!