જૂના સચિવાલયમાં લાગેલી આગમાં પોતાનો ફાયદો શોધતું કોંગ્રેસ-આપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:49:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાની નાની વાતોમાં પણ વિવાદો છેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો રાજકીય પાર્ટી છોડી નથી રહ્યા. ત્યારે કાલે જૂના સચિવાલય બ્લોક નં.16 માં એકા એક આગ લાગી ગઈ હતી. જેને લઈ ભાજપ પર કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા અને તે બાદ આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીનું કહેવું છે કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

ગાંધીનગર ખાતે આવેલી જૂની સચિવાલયના બ્લોક નં.16માં એકાએક આગ ફાટી નીકળી હતી. વિકાસ કમિશનર ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળી ગયા હતા. સરકારી ફાઈલો તો બળી ગઈ પરંતુ તેની પર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌને લાગ્યું કે સામાન્ય શોર્ટસર્કિટથી આ આગ લાગી છે પરંતુ સચિવાલયના કેટલાક સૂત્રો અને આરટીઆઈના એક્ટીવીસ્ટો પાસેથી અમને જાણકારી મળી છે કે સરકારી ફાઈલો સળગાવવાનું ષડયંત્ર હતું.

કોંગ્રેસે પણ આગની ઘટના પર આપી હતી પ્રતિક્રિયા

સચિવાલયમાં લાગેલી આગ રાજનીતિમાં ગરમાવો લઈ આવી છે. જૂની સચિવાલયમાં આગેલી આગ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી છે. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.




એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.