જૂના સચિવાલયમાં લાગેલી આગમાં પોતાનો ફાયદો શોધતું કોંગ્રેસ-આપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:49:07

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નાની નાની વાતોમાં પણ વિવાદો છેડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરવાનો એક પણ મોકો રાજકીય પાર્ટી છોડી નથી રહ્યા. ત્યારે કાલે જૂના સચિવાલય બ્લોક નં.16 માં એકા એક આગ લાગી ગઈ હતી. જેને લઈ ભાજપ પર કોંગ્રેસ આરોપ લગાવ્યા હતા અને તે બાદ આમ આદમી પાર્ટી પણ આરોપ લગાવી રહી છે. બંને પાર્ટીનું કહેવું છે કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

ગાંધીનગર ખાતે આવેલી જૂની સચિવાલયના બ્લોક નં.16માં એકાએક આગ ફાટી નીકળી હતી. વિકાસ કમિશનર ઓફિસમાં આગ લાગતા ઓફિસમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ બળી ગયા હતા. સરકારી ફાઈલો તો બળી ગઈ પરંતુ તેની પર રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા કહ્યું કે સૌને લાગ્યું કે સામાન્ય શોર્ટસર્કિટથી આ આગ લાગી છે પરંતુ સચિવાલયના કેટલાક સૂત્રો અને આરટીઆઈના એક્ટીવીસ્ટો પાસેથી અમને જાણકારી મળી છે કે સરકારી ફાઈલો સળગાવવાનું ષડયંત્ર હતું.

કોંગ્રેસે પણ આગની ઘટના પર આપી હતી પ્રતિક્રિયા

સચિવાલયમાં લાગેલી આગ રાજનીતિમાં ગરમાવો લઈ આવી છે. જૂની સચિવાલયમાં આગેલી આગ પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે ગુજરાતમાં સરકારી ફાઈલો સળગવા લાગી છે. ચૂંટણી પહેલા લાગેલી આગ દર્શાવે છે કે ભાજપને સત્તામાંથી જવાનો અંદેશો આવી ગયો છે. આ ગભરાટમાં 27 વર્ષના ભ્રષ્ટાચારની ફાઈલો સળગી રહી છે.




આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.