નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-01-25 22:29:19

ગુજરાતમાં સમાન્ય લોકોની સાથે થઈ રહેલા અત્યાચારો સામે સતત અવાજ ઉઠાવતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે ફરિયાદ નોંધાઈ છે. તુષાર બસિયા સામે 354, પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાતીઓના હક અને સલામતી માટે લડતા આ પત્રકાર પર ફરિયાદ નોંધાતા રાજ્યના પત્રકાર જગતમાં ખળભળાટ મચી ગયો છે. 


શા માટે નોંધાઈ ફરિયાદ?


સુરતમાં જાહેરમાં વિદ્યાર્થિનીઓ, યુવતીઓ કે મહિલાઓની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ શહેરના સિંગણપોર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલાં ધોરણ-4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન એક શ્રમિકે તેની સાથે અડપલાં કર્યા હતાં. જે-તે સમયે પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી હતી, પણ તે શખ્સ સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી, આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જો કે આ મામલો પત્રકાર તુષાર બસિયાના ધ્યાન પર આવતા તેમણે સિંગણપોર પોલીસ સ્ટેશન PSI રાઠોડનો સંપર્ક કર્યો હતો. PI રાઠોડે આ મામલે કહ્યું કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી તેમ કહીંને સમગ્ર પ્રકરણનો વીંટો વાળવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પત્રકાર તુષાર બસિયાએ વિગતવાર સ્ટોરી કરતા સુરત પોલીસના પેટમાં  તેલ રેડાયું હતું. સત્ય ઉજાગર કરવાની સજા આપવા માટે તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેવી ચર્ચા મિડીયા જગતમાં થઈ રહી છે. જો કે આ સમગ્ર મામલે અગ્રણી પત્રકાર અને નવજીવન ન્યૂઝના કર્તાહર્તા પ્રશાંત દયાળે છેક સુધી લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.