Cadilaના સીએમડી Rajiv Modi વિરૂદ્ધ કરાઈ જાતિય સતામણીની ફરિયાદ, અરજદારે ખખડાવ્યા Highcourtના દ્વાર, જાણો શું સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-22 10:37:38

કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ જાતીય સતામણીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના સીએમડી વિરૂદ્ધ જે મહિલાએ જાતીય સતામણીની ફરિયાદ કરી છે તે તેમની પર્સનલ આસીસ્ટન્ટ છે. પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરી રહેલી યુવતી મૂળ બલ્ગેરિયાની છે. આ અંગેની ફરિયાદ ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધાવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ ગયો હોય તેવી માહિતી સામે આવી છે. જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો અને યુવતીની અરજી પર વધુ સુનાવણી ૪થી ડિસેમ્બરથી હાથ ધરવામાં આવશે. 

gujarat famous pharma company cadila CMD rajiv modi accused of sexual  harrasment

અરજદારે શું કરી છે અરજી? 

જે અરજી કરવામાં આવી છે તેમાં એવી અરજ કરવામાં આવી છે કે કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરૂદ્ધ  IPCની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ  પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે. ફરિયાદી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી સાથે તેને બહાર પણ જવું પડતું હતું. વર્ષ 2022માં તે કેડીલા ફાર્મમાં કંપનીના સીએમડીની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે જોડાઈ હતી. એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં અરજદારની સાથે ખરાબ રીતે વર્તન કરતા હતા.  


અંતે અરજદારે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર 

અરજદારે પોતાની ફરીયાદ દાખલ કરાવવા માટે અનેક પ્રયત્નો કર્યા. વસ્ત્રાપુર મહિલા પોલીસમથકમાં પણ અરજી આપી હતી પરંતુ વારંવારની રજૂઆત અને લેખિત પુરાવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી નથી. અનેક વખત આ મામલે તેમણે રજૂઆત કરવા માગી પરંતુ કોઇ પરિણામ નહી આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેની પણ સૌની નજર છે.  



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.