BJPના નેતા વિક્રમ લુહાણા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ, સગીરા પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-01 18:01:48

ચરોતર પંથકના ભાજપના અગ્રણી નેતા વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે આણંદમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના વગદાર નેતા વિક્રમ લુહાણા પર એક સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને કિશોરીને બાથરૂમમાં લઈ જઈને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં બે બાળકો સાથે રહેતી સિંગલ મધરની સગીર યુવતી ઉપર બહેનપણીના પતિ અને ભાજપના વગદાર કાર્યકર્તાએ મેલી નજર કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હોવાનો કિસ્સો બહાર આવતા ચરોતર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ મથકે ફરિયાદ આપી હોવાની જાણ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણાની પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી. આ અંગે પોલીસે વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલને સોંપવામાં આવી છે.


વિક્રમ લુહાણા વોર્ડ નં.6માં પ્રભારી છે


આણંદની સંતકંવર સોસાયટીમાં રહેતો વિક્રમ લુહાણા ભાજપના કાર્યકર છે અને કિસાન મોરચામાં હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેને વોર્ડ નં.6માં પ્રભારી તરીકે પણ નિમણૂંક આપવામાં આવી છે. તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાથી કેફમાં રાચી ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારમાં રાજકીય રોફ મારતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!