BJPના નેતા વિક્રમ લુહાણા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ, સગીરા પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-01 18:01:48

ચરોતર પંથકના ભાજપના અગ્રણી નેતા વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે આણંદમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપના વગદાર નેતા વિક્રમ લુહાણા પર એક સગીરા પર દુષ્કર્મના પ્રયાસ કરવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. 15 વર્ષની કિશોરી એકલી હતી એ સમયે તેનો હાથપકડી પોતાની બાજુમાં બેસાડીને શારીરિક છેડાછાડ કરીને કિશોરીને બાથરૂમમાં લઈ જઈને આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે કિશોરી ત્યાંથી નાસી છૂટી હતી અને પરીવારને જાણ કરી હતી. કિશોરીના પરિવારે આણંદ શહેર પોલીસ મથકે નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. આણંદ શહેર પોલીસે વિક્રમ લુહાણા સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લુહાણા ફરિયાદ નોંધાઈ છે. આણંદમાં બે બાળકો સાથે રહેતી સિંગલ મધરની સગીર યુવતી ઉપર બહેનપણીના પતિ અને ભાજપના વગદાર કાર્યકર્તાએ મેલી નજર કરી આબરૂ લૂંટવાની કોશિશ કરી હોવાનો કિસ્સો બહાર આવતા ચરોતર પંથકમાં ચકચાર મચી છે. આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં પોલીસ મથકે ફરિયાદ આપી હોવાની જાણ થતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જોકે પોલીસે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. આણંદ સંતકવર સોસાયટીમાં રહેતો વિક્રમ લક્ષ્મણદાસ લુહાણાની પત્નીની બહેનપણીના ઘરે અવાર નવાર જતો – આવતો હતો. આ અવર જવર દરમિયાન વિક્રમ લુહાણાએ તે પરિવારની સગીરવયની દિકરી પર નજર બગાડી હતી. તે કોઇને કોઇ બહાને સગીરા ઘરે એકલી હોય ત્યારે જતો હતો. આ દરમિયાન એક દિવસ સગીરા ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. સગીરા ગભરાયેલ ગભરાયેલ જણાતા ટયુશને કે સ્કુલે જવાની ના પાડતા તેમજ તેને કોઈ ચિંતામાં હોય તેવી પરિસ્થિતમાં લાગતા સગીરાની માતાએ દિકરીને પુંછેલ કે બેટા કંઈક પ્રોબ્લેમ છે તે કેમ ચિંતામાં લાગે છે? ત્યારે ડરેલ અને દબાયેલા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડતા સગીરાએ નરાધમ વિક્રમ લોહાણાએ કરેલ કુકર્મની સમગ્ર હકીકત જણાવતા માતા ચોંકી ગઇ હતી. આ અંગે પોલીસે વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલને સોંપવામાં આવી છે.


વિક્રમ લુહાણા વોર્ડ નં.6માં પ્રભારી છે


આણંદની સંતકંવર સોસાયટીમાં રહેતો વિક્રમ લુહાણા ભાજપના કાર્યકર છે અને કિસાન મોરચામાં હોદ્દો ધરાવે છે. આ ઉપરાંત તેને વોર્ડ નં.6માં પ્રભારી તરીકે પણ નિમણૂંક આપવામાં આવી છે. તે ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હોવાથી કેફમાં રાચી ભગતસિંહ સ્ટેચ્યુ વિસ્તારમાં રાજકીય રોફ મારતો હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.