Palanpur બ્રિજ દુર્ઘટનાને લઈ કંપનીના ડિરેક્ટરે આપી પ્રતિક્રિયા, તો Geniben Thakor અને Chaitar vasavaએ સરકારને ઘેરી!


  • Published By :
  • Published Date : 2023-10-24 16:29:14

પાલનપુરમાં ગઈકાલે એક દુર્ઘટના સર્જાઈ હતી.આરટીઓ પાસે નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને બે લોકોના મોત થઈ ગયા. આવી દુર્ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવી દુર્ઘટના બાદ તપાસના આદેશ આપી દેવામાં આવે છે પરંતુ કાર્યવાહી કરવામાં નથી આવતી. એવી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેનાથી ઉદાહરણ બેસે કે જો ખોટું કરશો તો નહીં છોડવામાં આવે. પાલનપુર બ્રિજ દુર્ઘટના બાદ કન્ટ્રક્શન કંપની જીપીસીના ડિરેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે. સામાન્ય માણસની જેમ તેમણે પ્રતિક્રિયા આપી છે અને આ ઘટના અંગે શોક પ્રગટ કર્યો છે. 

કંપનીના ડિરેક્ટરે દુર્ઘટના અંગે આપી પ્રતિક્રિયા 

આ અંગે મળતી માહિતી અનુસાર જીપીસીના ડિરેક્ટર ગણેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું આ અંગે દુ:ખ વ્યક્ત કરું છું. બ્રિજના પિલ્લરના છ ગડર ચડાવેલા હતા. ક્રોસ ગડરની કામગીરી દરમિયાન બનાવ બન્યો છે. જીવ ગુમાવનારના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. નુકસાન અમે અમારા ખર્ચે પૂર્ણ કરીશું. સરકારની તપાસમાં અમે સહયોગ આપીશું. અમારા કામમાં કોઈ ક્ષતિ નથી. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે રીક્ષા અને ટ્રેક્ટર દટાયા હતા. ત્રણ લોકો કાટમાળ નીચે દબાયા હતા અને તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. રિક્ષાનો તો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. 

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, રાજ્યની 8  નગરપાલિકાઓને બખ્ખા!

મુખ્યમંત્રીએ ગંભીરતાથી લીધી આ ઘટનાને 

ઘટના બાદ પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગાંધીનગર આર એન્ડ બી વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બ્રિજ તૂટવાના કારણ અંગે તપાસ થયા બાદ સરકારને રિપોર્ટ સોંપશે. રિપોર્ટ આવ્યા બાદ સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જવાબદાર લોકો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત સામે આવી છે. 



કોન્ટ્રાક્ટર પર હોય છે સરકારની રહેમ નજર! 

આવી ઘટનાઓ પહેલી વખત નથી બની પરંતુ અનેક વખત બની છે. ઘટના સર્જાયા બાદ દરેક વખત તપાસની કમિટી બને છે, સરકારને રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ કાર્યવાહીના રૂપે કોઈ નક્કર પગલા લેવામાં નથી આવતા. મહત્વનું છે કે આ કંપનીએ છે જેમને બ્લેક લીસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે એ કંપનીને પાલનપુરમાં બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. એવી કડકમાં કડક જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવી પડશે જેને કારણે લોકોમાં ડર બેસે કે જો ખોટું કરીશું તો ફસાયા સમજો. જો કડક કાર્યવાહી નથી કરવામાં આવતી તો સરકારની રહેમ નજર કોન્ટ્રાક્ટર પર હોય તેવી વાતો સ્વભાવિક છે.

   


ગેનીબેન ઠાકોરે સરકારને આ મુદ્દે ઘેરી

આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોરે આ વાતને લઈ કહ્યું કે 156માંથી છે કોઈ જે આ વેદના સાંભળે? મોરબી બ્રિજ, પાલનપુર બ્રિજ આવી ઘટના બને છે પણ જ્યાં સુધી આ ભાજપ સરકારના માનીતા કોન્ટ્રાક્ટરઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે ત્યાં સુધી આવી ઘટના અટકશે નહીં. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અંગ્રેજો પણ લૂંટતા એમના બનાવેલ પુલ, રોડ, રસ્તાઓ હજુ નથી તૂટ્યા અને આ મહા ભ્રષ્ટ ભાજપના શાસનમાં બનાવેલ પુલ, બ્રિજ, રોડ, રસ્તાઓ બધું જ તૂટી જાય છે સિવાય એમના બંગલા! આ ગુજરાત મેં બનાવ્યું કહેનાર બીજેપી સરકાર શરમ કરો!     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!