મહેસાણા જિલ્લાના ખેરાલુમાં કોમી શાંતિ ડહોળાઈ, શ્રી રામની શોભાયાત્રા પર થયો પથ્થરમારો


  • Published By :
  • Published Date : 2024-01-22 18:29:02

અયોધ્યામાં આવતી કાલે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. સમગ્ર દેશમાં રામલલ્લાની શોભાયાત્રા યોજાઈ રહી છે ત્યારે કેટલાક તોફાની તત્વો કોમી શાંતિ અને ભાઈચારાનો માહોલ બગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. આજે મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડીયા રામની શોભાયાત્રા પર પથ્થર મારો થયાના ઘટના સામે આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરાઈ રહેલી ઉજવણીને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી તે દરમિયાન ખેરાલુ શહેરમાં બેલીમ વાસ વિસ્તારમાં પથ્થરમારો થતા ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઈ હતી. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.


યુવકો અને મહિલાઓએ ધાબા પરથી કર્યો પથ્થરમારો


મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હાટડીયા રામની શોભાયાત્રા દરમિયાન ખેરાલુ કડીયા બજારમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બન્યાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. શોભાયાત્રા બેલીમ વાસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.પથ્થરમારો થતાં ખેરાલુમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પથ્થરમારો કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે.


પોલીસે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા


ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી પરંતું મસ્જિદ આગળથી પસાર થતા જ શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો અચાનક જ શરુ થયો હતો. ડીજે વગાડવાને લઈ આ પથ્થર મારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે જિલ્લા સમગ્ર જિલ્લા ની પોલીસ નો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ મામલાને લઈ કાર્યવાહી શરુ કરી છે અને વીડિયોથી ઓળખ કરીને અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.