વડોદરાના સાવલીમાં કોમી અથડામણ: 40 લોકોની ધરપકડ, પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવી દેવાયું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 11:53:22

મા આદ્યશક્તિના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ ચાલી રહી છે ત્યારે કોમી રમખાણો ચિંતા વધી રહ્યા છે. રાજ્યમાં હાલ કેટલા લોકો કોમી શાંતિ ડહોળવાનું ષડયંત્ર રચતા હોય તેવું જણાય છે. આમ પણ વિધાનસભાની ચૂંટણી નજીક હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી હોય તેવો ભૂતકાળનો અનુભવ રહ્યો છે. જેમ કે વડોદરાના સાવલી માં બે જૂથ આમને સામને આવી ગયા હતા. મંદિર પાસે વીજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા ફરકાવવા બાબતે બે જુથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.


શા માટે કોમી અશાંતિ સર્જાઈ?


વડોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમુદાયનો તહેવાર આવી રહ્યો હોવાથી તેમણે ધામીજીના ડેરા વિસ્તારમાં મંદિર પાસે વીજળીના થાંભલા પર તેમના ધાર્મિક ઝંડા ફરકાવવા પ્રયત્ન કર્યો હતો. આ વિસ્તારના જ અન્ય સમુદાયના લોકોએ આ પ્રકારે ઝંડા લગાવવાનો વિરોધ કર્યો હતો અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. બંને સમુદાયો વચ્ચેની અથડામણમાં સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી પરંતુ એક વાહન અને દુકાનને નુકસાન પહોંચ્યું છે. 


પોલીસે 40 લોકોની ધરપકડ કરી


સાવલીના શાકભાજી માર્કેટમાં બનેલી આ ઘટના બાદ બંને સમુદાયના લોકોએ એકબીજા સામે ફરિયાદ દાખલ કરાવી હતી અને અત્યાર સુધીમાં પોલીસે બંને સમુદાયના કુલ 40 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હાલ તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે, પોલીસના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.