મોંઘવારીના માર માટે તૈયાર થઈ જાઓ, અપ્રિલમાં મોંઘી થશે આ ચીજો, જુઓ સંપુર્ણ લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-28 20:53:53

માર્ચ મહિનો પૂરો થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. થોડા દિવસ બાદ એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડવાનો છે. એવી ઘણી વસ્તુઓ છે જે 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. તેનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. સામાન્ય માણસ જે પહેલેથી જ મોંઘવારીની આગમાં સળગી રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. જો કે એપ્રિલમાં કેટલીક વસ્તુઓના ભાવ પણ નીચે આવવાના છે. અહીં અમે તમને મોંઘી અને સસ્તી બંને વસ્તુઓની યાદી આપવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. ચાલો જણાવીએ કે એપ્રિલમાં શું થશે મોંઘુ અને શું સસ્તું થશે.


આ વસ્તુઓ મોંઘી થશે


સરકાર 1 એપ્રિલ 2023થી આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. તેનું કારણ સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવાનું છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, પ્રાઈવેટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સની કિંમતો વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ચીમની, સોનું અને પ્લેટિનમ જેવી વસ્તુઓની કિંમતો વધશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.


આ વસ્તુઓ સસ્તી થશે


નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી કેમેરા લેન્સ, સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. બજેટની રજૂઆત દરમિયાન, કપડાં, ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્કીડ, હિંગ અને કોકો બીન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા અને સેલ ફોન માટેના કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવા માટે વપરાતા બીજ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.



માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે..

વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગાડીઓ હવામાં ઉડી રહી હોય તેવું લાગે.. હાલમાં જ અલવરમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં જોવા મળ્યું હતું કે રસ્તામાં ખામીને કારણે પૂરપાટ ઝડપે ચાલતી કાર હવામાં ઊછળી રહી છે.