ગુજરાતી પત્રકારત્વમાં અમૂલ્ય પ્રદાન કરનારા જાણીતા કટાર લેખન સલીલ દલાલની ચિરવિદાય, કેનેડામાં લીધો અંતિમ શ્વાસ


  • Published By :
  • Published Date : 2023-09-27 21:45:23

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા વજેસિંહ પારઘીની ચિરવિદાયનો શોક હજુ તાજો જ હતો ત્યા જાણીતા ફિલ્મી અને ટેલીવિઝન કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે અંતિમ શ્વાસ લેતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. જાણીતા કટાર લેખક સલિલ દલાલે કેનેડામાં આજે આખરી શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. હસમુખભાઈ ઠક્કર એટલે કે સલિલ દલાલે ચિરવિદાય લેતા અનેક લોકોએ તેમના યોગદાનને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. ફિલ્મો અંગેનું તેમનું લેખન માત્ર રંજનલક્ષી નહોતું તે તેમની વિશેષતા હતી. ફિલ્મનું લેખન એટલે નર્યું મનોરંજન, ગોસિપ, ઉપરછલ્લું અને સપાટી પરનું આલેખન  તેવી માન્યતાને દુર કરીને તેમણે તેને ગરિમા આપી હતી. આ બધાથી તેઓ ઉપર ઉઠ્યા હતા. બહોળો વાચક વર્ગ ધરાવતા સલીલ દલાલ મધ્ય ગુજરાતના વતની હતા. તેમણે ગુજરાતમાં ડેપ્યુટી કલેક્ટરપદેથી નિવૃત્ત થઇને 2008માં કેનેડા જઇને વસવાટ કર્યો હતો. તે પહેલા સલિલ દલાલ 1970ના દાયકાથી 2008 સુધી અગ્રણી ગુજરાતી અખબારોમાં હિન્દી ફિલ્મી જગતને લગતી કોલમ ‘ફિલમની ચિલમ’ લખતા હતા. ત્યારબાદ પણ તેઓ આ કૉલમ છેલ્લા શ્વાસ સુધી લખતા રહ્યા. હજી તો હમણાં તેમણે પોતાની સંદેશમાં દર રવિવારે પ્રકાશિત થતી ફિલમ ફિલમ કૉલમમાં લખ્યું હતું કે  કેન્સરનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને લાંબુ ખેંચાય તેમ લાગતું નથી તેથી આ કોલમ બંધ કરું છું. તેવી તેમણે જાહેરાત કરી હતી.




સારા વાચક એવા સલીલ દલાલે લખ્યા હતા આ પુસ્તકો 


સલિલ દલાલ ખુબ જ સારા વાચક અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા હતા તેમણે કેટલા અદભુત પુસ્તકો પણ લખ્યા છે. સરસ વિષયો સાથે લખાયેલા આ રસપ્રદ પુસ્તકોમાં ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’, ‘અધુરી કથાઓ… ઇન્ટરનેટની અટારીએ!’, ‘ગાતા રહે મેરા દિલ’ જેવી જાણીતી નવલકથાઓ લખી હતી. ‘કુમારકથાઓ ફેસબુકના ફળિયે’નું પુસ્તકમાં અશોકકુમાર, રાજેન્દ્રકુમાર, રાજકુમાર, કિશોરકુમાર, સંજીવકુમાર એમ પાંચ ફિલ્મના કલાકારોના જીવન, ફિલ્મી કારકિર્દી, સફળતાઓનું રહસ્યનું અનોખી શૈલીમાં આલેખન કર્યું છે. હિન્દી ફિલ્મોના અમર ગીતકારો, શાયરો વિશે ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક તૈયાર કર્યું હતું, જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. સલીલ દલાલની રસપ્રદ શૈલીમાં લખાયેલી કોલમનો એક વિશાળ વાચક વર્ગ હતો.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.